________________
૨૦૪:
શ્રીસુખમની
શબ્દાથ [ વિહાર = વ્યવહાર પ્રવૃત્તિ. અા = સુખદ સુખભર્યો. શુ = લીલા. વિંદ્ર = ક્ષણભર; ઘડીભર. ]
૧૪ - ૨ - નિરંકાર પરમાત્માની સ્તુતિ મનમાં કર્યા કર. હે મન, એ જ સાચી પ્રવૃત્તિ તું આદર. (1)
દેષરહિત જીભ વડે (પ્રભુના નામના રટણ રૂપી) અમૃત પીધા કર; અને એમ તારા અંતરને સદા સુખવિભોર બનાવી લે. (૨)
આંખ વડે પ્રભુની લીલા નિહાળ્યા કરે અને સંતપુરુષના સંગથી બીજા બધા અંગેનો નાશ થવા દે. (૩)
પગ વડે ગોવિંદના માર્ગે જ ચાલ; એક ક્ષણ પણ હરિ જપવાથી (કરોડ) પાપ દૂર થાય છે. (૪)
હાથ વડે હરિનું જ કામ કર; અને કાન વડે હરિની કથા સાંભળ; નાનક કહે છે કે, એમ કરવાથી હરિના દરબારમાં તું ઊજળ મેં એર હાજર થઈ શકશે. (૫)
હવે ત્રીજા પદમાં એમ હરિને ભજનારની સ્તુતિ કરે છે –
बडभागी ते जन जग माहि । सदा सदा हरिके गुन गाहि ॥१॥ राम नाम जो करहि बीचार । से धनवंत गनी संसार ॥२॥
૧ જીભ વડે નામ – અમૃત પીને તેને નિર્દોષ – નિર્મળ બનાવ, એ અર્થ પણ થાય. –સંપા.
૨. મૂળમ “નથ' છે. – સંપા.