Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 369
________________ પ્રતિ [નોંધ: પુસ્તક છપાતું હતું તે દરમિયાન અર્થ અને વિવરણમાં જે ઉમેરા તથા ફેરફારો કરવા જરૂરી લાગ્યા, તે અહી અષ્ટપદીના કમવાર નોંધ્યા છે. ] અષ્ટપદી - ૧ પદ ૧ : લેક ૩ : (માણસોએ) વેદ, પુરાણ, સ્મૃતિ – સૌ શોધીને (તપાસીને) પરમાત્મા (રામ)ના નામમય, અમૃતરૂપી અક્ષરવાળો એકાક્ષર મંત્ર ૩ તારવ્યો છે.” અથવા : “શુદ્ધ કે અમૃર્તમય અક્ષરવાળાં વેદ, પુરાણું અને સ્મૃતિ એ શાસ્ત્રો પરમાત્માના એક નામમાંથી જ પેદા , થયેલાં છે,' એવો અર્થ પણ થઈ શકે. શ્લોક ૪: “એ નામને એક કણ પણ જે જીવ (હૃદયમાં) વસાવે, તેને મહિમા ગ ગણાય નહિ તેવો બની રહે, એ અર્થ પણ થઈ શકે. પદ ૨: રહાઉ : “આ “સુખમનીમાં સુખદાયી અમૃત એવું પ્રભુનું નામ છે; સંતોના હૃદયને તે વિશ્રાંતિ રૂપ છે, – એ અર્થ - પણ થઈ શકે. પદ ૫: શ્લોક ૨ : પરવાન ને અર્થ માન્ય, સ્વીકાર્ય એવો પણ થાય છે. એટલે આને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય – પ્રભુને સ્મરે તે માણસ પ્રભુના દરબારમાં માન્ય સ્વી કાર્ય બને છે...” પદ ૮: ગ્લૅક જ હરિના સ્મરણ વડે જ જગતમાં ભક્તો પ્રગટાવ્યા છે (ભગત ઝટાપુ). – એવો અર્થ પણ થાય. ૩૯

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384