Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 360
________________ પરિશિષ્ટ - ૨ સુખમનીની શ્રેષ્ઠતા [અધ્યાપક ટી. એલ. વાસવાણી સુખમનીમાં ગુરુ અને પિતાને અંતરાત્મા ઠાલવ્યો છે. ગુરુ અજુનને મેં ચાર રૂપે ચિંતવ્યા છે. વ્યવસ્થાપક તરીકે, કવિ તરીકે, એક સમન્વયના દ્રષ્ટા તરીકે તથા ધર્મના શહીદ તરીકે. અને એમના એ રૂપની ભવ્ય મહત્તા જોઈ હું મંત્રમુગ્ધ થયો છું. તે ૧૬ મા સૈકામાં થઈ ગયા. વીસમી સદીના આપણે વિજ્ઞાન અને “સંસ્કૃતિનું ઉચ્ચાભિમાન ગમે તેટલું કરીએ; પણ ગુરુ અર્જુનની આગળ આપણે વામન માત્ર દેખાઈએ છીએ. તેમણે શીખોને એક જાતિ તરીકે સંગઠિત કર્યા; અમૃતસરનાં બાકી રહેલાં) સરોવર પૂરાં કર્યા; રામદાસપુર શહેરને વિસ્તીર્ણ કર્યું; હરમંદિરની આયોજન કરી અને તરણતારણ શહેર સ્થાપ્યું - બીજું એક શહેર સ્થાપવા માટે પણ તેમણે જમીન ખરીદી, જેનું નામ કરતારપુર પાડેલું. અને આવી આવી યોજનાઓ અમલમાં મૂકનારે આ પુરુષ કવિ-કછા પણ હતા. તેમને એ સત્યનું દર્શન થયું કે કુદરતની વિવિધ શક્તિઓમાં વાસ્તવિક રીતે જેમ એક જ શક્તિ રહેલી છે, (જેને હિંદુ ધર્મશાસ્ત્ર યોગ્ય નામ “શક્તિ' જ આપે છે,) તેમ જગતના વિવિધ ધર્મોમાં પણ એક જ ધર્મ રહેલે છે. એક ઉચ્ચ ભૂમિકાએથી ગુરુ અર્જુનને હિંદુ ભક્તિ અને મુસ્લિમ સાધનાને સુમેળ પ્રતીત થયો; અને તેથી, તે દિવસમાં વિરલ એવી હિંમત દાખવી, તેમણે હિંદુ સંતે અને મુસલમાન ફકીરની ૧. In the Sikh Sanctuary – એ પુસ્તકમાંથી. ૩૪૦

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384