________________
છે તેને સિદ્ધ કહે છે, અથવા તો જેનાં સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયાં છે અને જેને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી, એટલે કે જે કૃતકૃત્ય થઈ ગયા છે તેને પણ સિદ્ધ કહે છે. જેણે પોતાના સાધ્ય(મોક્ષ)ને પ્રાપ્ત કરી લીધું છે તેને સિદ્ધ કહે છે.”
આનો અર્થ એ કે જન્મ, જરા, મરણ અને તેના કારણરૂપ કર્મબંધનોથી મુક્ત થઈને પોતાના સાધ્યને પ્રાપ્ત કરી ચૂક્યા છે, કૃતકૃત્ય થઈ ગયા છે, તેને સિદ્ધ કહેવામાં આવે છે. ગીતાની ભાષામાં કહું તો –
'यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम'
જ્યાં જઈને આત્મા પાછો નથી કરતો, તે મારું (ઈશ્વરનું) પરમધામ (મોક્ષ) છે.”
સિદ્ધ ભગવાનની સ્તુતિમાં પણ કહ્યું છે – 'सिवमयलमरुअमणं तमक्खयमव्वावाहमपुणरावित्ति
__सिद्धि गई नामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं'
જે કલ્યાણકારી, નિરુપદ્રવ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ હોય અને જ્યાંથી પાછા આવવાનું ન હોય, એવી સિદ્ધગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેવા રાગદ્વેષવિજેતા સિદ્ધ પરમાત્માને નમસ્કાર.”
મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં આવાં જ લક્ષણો દર્શાવ્યાં છે. _ "क्लेश कर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेषः ईश्वरः"
જે ક્લેશ (કષાય), કર્મ, કર્મફળ તથા વાસનાઓથી સંપૂર્ણ રહિત છે, તેવા મહાપુરુષ (વિશિષ્ટ આત્મા) ઈશ્વર છે.”
ઈશ્વરના આ સ્વરૂપને માનવામાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી.
ઈશ્વરનું આ સ્વરૂપ ભારતના બધા મુખ્ય ધર્મોને માન્ય છે. શબ્દો ભલે જુદા હોય, વસ્તુતત્ત્વ તો એક જ છે, પરંતુ આજકાલ કેટલાક ધનાલ્પ, ધનાઢ કે પાપાત્મા સત્તાધારી માનવીઓ ઈશ્વરને જોવા-સાંભળવા કે સમજવા નથી માગતા.
એક ધર્માત્માએ એક લોભાધ વ્યક્તિને ઉપદેશ આપવાનો પ્રયત્ન ઈશ્વરનું સ્વરૂપ