________________
ર
કંઈક વિચારવિકાસ, પ્રચલિત નીતિપ્રકૃતિમાં પલટા આણુ
વાની મનાભાવના અને એ રીતે આદર્શને ક્રમે ક્રમે ઉચ્ચ સ્થાને સ્થાપવાની આકાંક્ષા અહેનિશ જાગૃત રહે છે જ. એટલા માટે કાઈ પણ દર્શનની જન્મતિથિ નક્કી કરવી અશક્ય અને છે. જેએ જુદા જુદા દર્શનના અધિષ્ઠાતા તરીકે ઓળખાય છે તેમની પહેલાં એમણે પ્રવર્તાવેલા દ - નનાં સૂક્ષ્મ બીજ હોય છે. બૌદ્ધમતને પ્રચાર ખુદેવે કર્યો અને જૈનમતના પ્રથમ પ્રચાર શ્રી વમાન-મહાવીરે કોં એ એક ખોટી ધારણા છે. એટલું નિશ્ચિત છે કે એ એ મહાપુરુષા પહેલાં લાંબા સમય પૂર્વે બૌદ્ધ અને જૈનશાસનમાં મૂલ તત્ત્વા સૂત્રરૂપે પ્રચલિત હતા, એ તત્ત્વાને ખૂબ સ્પષ્ટરૂપે પ્રચાર કરવા, એમાંનાં માધુય તથા ગાંભીય જનસમૂહને સમજાવવાં અને વૃદ્વથી માંડી બાળક સુધીના તમામ સ્ત્રી-પુરૂષો એને સમાદર કરે એવી પરિસ્થિતિ ઉપજાવવી એને એ મહાપુરૂષોએ પેાતાના જીવનનું ગૌરવમય વ્રત માન્યું હતું. મૂળ તત્ત્વના હીસાબે, બુદ્ધ અને મહાવીરના જન્મ પહેલાં ઘણા સમયથી બૌદ્ધ અને જૈનમત હતા. અને મત પ્રાચીન છે, ઉપનિષા જેટલા જ પ્રાચીન છે એમ કહી શકાય.
બૌદ્ધ અને જૈતમતને ઉપનિષદના સમકાલીન માનવાનું કંઇ ખાસ પ્રમાણ નથી અને તે બન્ને મતને ઉપનિષદ્ જેટલા પ્રાચીન માની શકાય નહીં, એવા જો કાઈ વાંધે ઉડ્ડાવે તો તે ઠીક નથી. ઉપિનષદો ખુલ્લી રીતે વેદના વિરાધ નહાતા કરતા તેથી તેના શિષ્યાની સંખ્યા બીજા કરતાં ઘણી વધારે હતી. અવૈદિક મતવાળા પ્રથમ અવરથામાં કંઇક શકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org