________________
।। શ્રી મહાવીર સ્વામિને નમઃ ।। ।। શ્રી નંદ્વેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।।
।। ૐ હ્રીં અર્જુ નમઃ 11
।। નમામિ નિત્યં ગુરુરામચન્દ્રમ્ ।।
-
।। ૐ હૈં નમઃ ।।
A
“સ્યાદ્વાદ
અનેકાંતવાદ
સ્યાદ્વાદ જૈનદર્શનનો મહત્ત્વનો સિદ્ધાંત છે. દરેક કાળના સાધોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે જ છે કે, આ જગતના પદાર્થોનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનું સમાધાન આપવા માટે તે તે દર્શનના તત્કાલીન દર્શનકારોએ પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો છે. જૈનદર્શને સ્યાદ્વાદ સિદ્ધાંતના આધારે જગતના પદાર્થોને અનંતધર્માત્મક (અનંત ધર્મોથી યુક્ત) બતાવ્યા છે સમજાવ્યા છે.
p
,,
અહીં આપણે ‘સ્યાદ્વાદ' કોને કહેવાય? અને દરેક વસ્તુ (પદાર્થ) કઈ રીતે અનંતધર્માત્મક છે, તે બે મુખ્ય મુદ્દાને લઈને વિસ્તારથી વિચારણા કરીશું.
અન્યદર્શનોએ જગતના પદાર્થોને સમજાવવા એકાંતનો આશરો લીધો હોવાથી તેઓ જગતના પદાર્થોને સર્વાંગીણ રીતે સમજાવી શક્યા