Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વિચાર કરવાથી સમજી શકાશે કે આગ્રહપૂર્ણ મનની દશા આત્માને સાચી દિશાથી દૂર રાખે છે. બુદ્ધિને નિરર્થક બનાવવાનું કાર્ય, આગ્રહપૂર્ણ મનોદશાનું છે. સમર્થોને પણ ઉપહાસપાત્ર બનાવીને આગ્રહદશાએ માર્ગથી દૂર રાખ્યા છે.
સત્તાવીસમા શ્લોકમાં પ્રખરતાર્કિક નૈયાયિકાદિની માન્યતાનું વર્ણન છે. દુઃખધ્વંસવિશેષસ્વરૂપ મોક્ષ હોવાથી તેમના મતે ચરમદુઃખ ક્લેશ છે. ચરમત્વના સ્વરૂપનું વર્ણન શક્ય નથી - એ જણાવવા સાથે અઠ્ઠાવીસમા વગેરે ત્રણ શ્લોકોથી નૈયાયિકાદિ તાર્કિકોની વાતનું નિરાકરણ કર્યું છે. અંતે છેલ્લા ત્રણ શ્લોકોથી પોતાની (સ્વદર્શનની) માન્યતાનું નિરૂપણ છે. અશુભવિપાકવાળાં પાપકર્મી સ્વરૂપ ક્લેશોનો સર્વથા નાશ, જ્ઞાનક્રિયાના સમુદાય સ્વરૂપ યોગથી થાય છે. માત્ર નિરુપક્રમ કર્મોનો નાશ ભોગથી થાય છે. નામુ ક્ષીય કર્મ... ઇત્યાદિ વચન પણ નિરુપક્રમ કર્મોને લીધે છે.
આ રીતે માત્ર બે-ત્રણ શ્લોકથી સ્વમતને જણાવવા માટે બાકીના શ્લોકોથી પરમતનું નિરાકરણ જ મુખ્યપણે આ બત્રીશીમાં કરાયું છે. પરમતના નિરાકરણ વિના સ્વમતનું વ્યવસ્થાપન શક્ય નથી.. ઇત્યાદિ વિચારવું જોઇએ.
અંતે આ બત્રીશીના અધ્યયનથી વાસ્તવિક ક્લેશ હાનિના ઉપાયને જાણવાપૂર્વક આરાધી નિરુપમ એવા અનંત સ્થાનને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા.
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ કલ્યાણ - સંસ્કારધામ વિ.સં. ૨૦૬૧, પો.સુ.-૭ : રવિવાર
૩૪
ક્લેશતાનોપાય બત્રીશી