Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 194
________________ આવી રીતે જ શ્રી કેવલીપરમાત્માઓમાં આહારસંજ્ઞા ન હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. કારણ કે આહારનું કારણ આહારસંજ્ઞા છે. કારણ(આહાર સંજ્ઞા)નો અભાવ હોવાથી કાર્યનો(કવલાહારનો) પણ અભાવ શ્રી કેવલીપરમાત્માને હોય છે. તેમ જ તેઓશ્રીને અનંતસુખ હોવાથી તેને લઈને તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે. કારણ કે સુધાની વેદનાનો ઉદય થવાથી જ આહાર(ભોજન) કરવાનો પ્રસંગ આવે છે. શ્રી કેવલજ્ઞાની જો કવલાહાર કરતા હોય તો તેઓશ્રીને સુધા-વેદનીયનો ઉદય અવશ્ય માનવો પડશે અને તેથી તેઓશ્રીમાં અનંતસુખત્વનો વિરોધ આવશે. તેથી એ વિરોધને દૂર કરવા શ્રી કેવલજ્ઞાનીને કવલાહાર માનવામાં આવતો નથીઆ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. આ પ્રથમ શ્લોકમાં કેવલીપરમાત્માના કવલાહારના અભાવમાં ચાર હેતુ વર્ણવ્યા છે, જેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરવામાં આવશે. ૩૦-૧૧ બીજા હેતુઓ જણાવાય છે– दग्धरज्जुसमत्वाच्च, वेदनीयस्य कर्मणः । અક્ષોતિયા વેદતિયો: સુહલુહયોઃ રૂ૦-૨ા दग्धेति-च पुनर्वेदनीयकर्मणो दग्धरज्जुसमत्वात्तादृशेन तेन स्वकार्यस्य क्षुद्वेदनोदयस्य जनयितुमशक्यत्वात् । देहगतयोः शरीराश्रितयोः सुखदुःखयोरक्षोद्भवतयेन्द्रियाधीनतयाऽतीन्द्रियाणां भगवतां તદનુપત્તેિ: રૂ૦-૨I “વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી અને શરીરસંબંધી સુખ-દુઃખ ઇન્દ્રિયોને આધીન હોવાથી (કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી)” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં શ્રી કેવલીમહાત્માના કવલાહારના અભાવને સિદ્ધ કરવા માટે બે હેતુઓ આપ્યા છે. આશય એ છે કે “શ્રી કેવલીભગવંતોનાં ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પરંતુ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ : આ ચાર અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી છદ્મસ્થ-અવસ્થાની જેમ વેદનીયકર્મના ઉદયથી સુધાવેદના કૈવલ્યાવસ્થામાં પણ થાય છે. તેથી તેઓશ્રી કવલાહાર કરે છે.” - આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીય કર્મ બળેલા દોરડા જેવું હોય છે. બળેલું દોરડું જેમ પોતાના કાર્ય-બંધન માટે સમર્થ બનતું નથી. તેમ એ વેદનીયકર્મ પણ; તેઓશ્રીને સુધાવેદનાને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. તેથી કેવલપરમાત્મા સુધાને દૂર કરવા વાપરતા નથી. તેમ જ શરીરને આશ્રયીને ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ, ઇન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતાં હોય છે. કેવલી પરમાત્માઓ અતીન્દ્રિય અર્થાતુ ભાવેન્દ્રિયથી રહિત હોવાથી વાપરતાં પહેલાં દુઃખ અને વાપર્યા પછી સુખ આવાં સુખ-દુઃખ તેઓશ્રીમાં ઘટતાં નથી. તેથી તેઓશ્રી આપણી એક પરિશીલન ૧૯૧

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278