Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 220
________________ દિગંબરના મતમાં અપાય જણાવાય છે दोषं वृथा पृथकृत्य, भवोपग्राहिकर्मजम् । बध्नन्ति पातकान्याप्तं, दूषयन्तः कदाग्रहात् ॥३०-३०॥ “ભવોપગ્રાહિકર્મથી ઉત્પન્ન દોષને વ્યર્થ વિસ્તારીને કદાગ્રહથી, આમ તીર્થંકરપરમાત્માને દૂષિત કરતાં દિગંબરો પાપોને બાંધે છે.” – આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ભવોપગ્રાહિકર્મના ઉદયના કારણે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે છે. કર્મજન્ય એ દોષને લઈને દિગંબરોએ આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક દોષોનું આપાદન કર્યું. એ રીતે એક દોષને વિસ્તારથી જણાવવા દ્વારા પોતાના કદાગ્રહથી, આપ્ત (યથાર્થવક્તા) એવા શ્રી તીર્થંકર-પરમાત્માને દૂષિત કરનારા દિગંબરોને ઘણો જ પાપબંધ થાય છે. આ પાપના બંધના ભયથી પણ દિગંબરોએ પોતાના કદાગ્રહને છોડીને “શ્રી કેવલીભગવંતો કવલાહાર કરે છે - એ વાત સ્વીકારી લેવી જોઈએ... એ કહેવાનો આશય છે. ૩૦-૩૦ના આ રીતે પરમાત્માને દૂષિત કરવાથી પોતાને પાપનો બંધ થાય છે અને આમ છતાં પરમાત્મા તો દુષ્ટ થતા નથી : એ જણાવાય છે– कलङ्कः कल्पितै र्दुष्टैः, स्वामी नो नैव दूष्यते । વરાત્સિતપૂનમ, સૃશ્યને નૈવ માનુમાન્ /ર૦-રૂકા કલ્પિત દુષ્ટ કલંકોથી અમારા સ્વામી શ્રી તીર્થંકર પરમાત્મા દૂષિત થતા નથી. સૂર્ય સામે ચોર વગેરે ગમે તેટલી ધૂળ ઉડાડે તો ય તે સૂર્યનો સ્પર્શ પણ કરતી નથી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે તો તેઓશ્રીને ઘણા દોષો પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ દિગંબરોએ જણાવ્યું. પરંતુ તે બધા જ દોષો કલ્પિત અને દુષ્ટ છે તે આ પૂર્વે જણાવ્યું છે. દોષો વાસ્તવિક હોત તો ચોક્કસ જ એને કારણે પરમાત્મા દોષથી યુક્ત હોત. અવાસ્તવિક દોષોથી પરમાત્મા તો દુષ્ટ બનતા નથી. પરંતુ તેવા દોષોનું આરોપણ કરવાથી દોષારોપણ કરનારા માત્ર પાપોથી બંધાય છે. આ વાતને દષ્ટાંતથી સમજાવી છે. સૂર્યની ઉપર ધૂળ ફેંકનારની આંખમાં જ ધૂળ પડે છે. સૂર્ય ઉપર તો તે કોઈ પણ રીતે પડવાની નથી. આથી સમજી શકાશે કે સૂર્ય ઉપર ધૂળ ઉડાડવા જેવી પરમાત્માની ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિ છે, જે દિગંબરોને પોતાને જ એકાંતે અહિત કરનારી છે. એથી પરમાત્માને કોઈ જ ફરક પડતો નથી.. ઇત્યાદિ વિચારવું જોઇએ. ૩૦-૩૧ દિગંબરોની માન્યતાનું નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાથી જ શ્રી જૈનશાસન જયવંતું છે : એ જણાવાય છે– એક પરિશીલન ૨૧૭

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278