Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 274
________________ अस्माकं किं च यस्माद् भवति शमरसै र्नित्यमाकण्ठतृप्ति, जैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ।।३२-३२॥ ।। शिष्टा द्वात्रिंशिका सज्जनगुणवर्णनमयी ग्रन्थाविच्छेदहेतुमङ्गलरूपा स्पष्टा ।। = “જેમાં બીજાં દર્શનોના અજ્ઞાનસ્વરૂપ અંધકારનો વિનાશ કરવા માટે સૂર્યનાં કિરણોની ધારા જેવી સ્યાદ્વાદવિદ્યા છે, જેનાથી ભવસાગરનો નિસ્તાર પામીને જીવો મોક્ષપદને પ્રાપ્ત કરે છે તેમ જ જેનાથી અમને શમરસથી સદાને માટે આકંઠ તૃપ્તિ થાય છે, તે આ પરમાનંદસ્વરૂપ કંદના વિકાસ માટે મેઘજેવું શ્રી જિનેશ્વરદેવોનું શાસન જયવંતું વર્તે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે, જેનો આશય અત્યંત સ્પષ્ટ છે. એને અનુરૂપ અજ્ઞાનને દૂર કરી સંસારસાગરનો પાર પામવા દ્વારા પરમાનંદપદને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા સાથે આ પરિશીલન પૂર્ણ કરાય છે. સજ્જનોના ગુણોનું વર્ણન જેમાં છે એવી આ છેલ્લી બત્રીસી છે. ગ્રંથના અવિચ્છેદના કારણભૂત મંગળ સ્વરૂપ આ બત્રીશી સ્પષ્ટ છે. તેથી આ બત્રીશીની ટીકા ગ્રંથકારશ્રીએ કરી નથી. II૩૨-૩૨ ॥ इति श्रीद्वात्रिंशद्द्द्वात्रिंशिकायां सज्जनस्तुतिद्वात्रिंशिका ॥ એક પરિશીલન अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૨૭૧

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278