Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 195
________________ જેમ કવલાહાર કરતા નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીમાં શરીરને આશ્રયીને સુખ અને દુઃખની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. ૩૦-રા શ્રી કેવલીભગવંતોને કવલાહાર હોતો નથી – એમાં હેવંતર જણાવાય છે– मोहात्परप्रवृत्तेश्च, सातवेद्यानुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ॥३०-३॥ मोहादिति-मोहान्मोहनीयकर्मणः परप्रवृत्तेः परद्रव्यप्रवृत्तेर्निर्मोहस्य सत आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः । सातवेद्यस्य सातवेदनीयस्यानुदीरणात् सातासातमनुजायुषामुदीरणायाः सप्तमगुणस्थान एव निवृत्तेः केवलिनः कवलभुक्तौ तज्जन्यसातोदीरणप्रसङ्गात् । च पुनराहारकथयाप्युच्चैरत्यर्थं प्रमादजननादाहारस्य सुतरां तथात्वात् ।।३०-३।। મોહના કારણે પરપ્રવૃત્તિ થાય છે, સાતા(શાતા)વેદનીયકર્મની ઉદીરણા ન હોવાથી અને આહારની કથાથી પણ અત્યંત પ્રમાદ થતો હોવાથી (શ્રી કેવલીપરમાત્માઓ કવલાહાર (ભોજન) કરતા નથી.) - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યના ગ્રહણાદિની પ્રવૃત્તિ થાય છે. શ્રી કેવલજ્ઞાનીઓએ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કર્યો હોવાથી મોહના અભાવમાં તેઓશ્રી આહારાદિ પરદ્રવ્ય (સ્વભિન્નદ્રવ્ય) ગ્રહણ કરી શકે નહિ. અન્યથા તેઓશ્રી આહારાદિનું ગ્રહણ કરે તો તેઓશ્રીને મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરનારા માની શકાશે નહિ. તેથી સર્વથા મોહનો ક્ષય કરનારા શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી. તેમ જ શ્રી કેવલીપરમાત્મા સુધાને દૂર કરવા કવલાહાર કરે તો ત્યારે શાતાવેદનીયકર્મની ઉદીરણાને માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સાતમાં ગુણસ્થાનકે જ તે ઉદીરણાની નિવૃત્તિ થાય છે. તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શ્રી કેવલજ્ઞાનીભગવંતો કવલાહાર કરતા નથી. આહાર વાપરવાથી શાતાવેદનીયકર્મની ઉદીરણા થાય છે. આવી જ રીતે જ્યાં આહારની કથા (ભક્તકથા) પણ અત્યંત પ્રમાદનું કારણ મનાય છે, ત્યારે આહાર તો સુતરાં પ્રમાદનું કારણ છે – એ સમજી શકાય છે. તેથી જ શ્રી કેવલીપરમાત્મા, અત્યંત પ્રસાદના કારણભૂત કવલાહારને વાપરતા નથી. અન્યથા તેઓશ્રીને અત્યંત પ્રમાદનો પ્રસંગ આવે - એ સ્પષ્ટ છે. આ શ્લોકમાં ત્રણ હેતુઓ જણાવ્યા છે. એનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે. ૩૦-all આ રીતે શ્રી કેવલજ્ઞાનીઓના કવલભુક્તિના અભાવના સમર્થન માટે નવ હતુઓનું નિરૂપણ કરીને બીજા પણ કેટલાક હેતુઓ જણાવાય છે– ૧૯૨ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278