Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
(i)
(ii)
(iii)
333
તે નીચે મુજબ છે –
‘ધર્મદ્રવ્યવ્યવસ્થા’ લે. પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મ.સા.
શ્રી ધાર્મિક તંત્ર સંચાલન સમીક્ષા' લે. પૂ.આ.શ્રી. કલ્યાણસાગરસૂ.
મ.સા.
સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ' લે. પૂ.આ.શ્રી. કલ્યાણસાગરસૂ.
મા.સા.
(iv) ‘વાંચો-વિચારો અને વંચાવો” લે. પૂ.આ.શ્રીકલ્યાણસાગરસૂ. મ.સા.
આ સર્વેના યોગે શ્રીસંઘમાં જાગૃતિ ટકી રહી હતી. તેના કારણે સંમેલનના ખોટા ઠરાવોનો અમલ શ્રીસંઘોએ કર્યો નહોતો. શ્રીસંઘના સદ્ભાગ્યે આજ સુધી તે વર્ગને સફળતા મળી નહોતી.
(૪) આટલો વિરોધ થવા છતાં તે પુસ્તકના લેખકશ્રીએ ત્રીજી-ચોથી આવૃત્તિ પ્રગટ કર્યે જ રાખી હતી અને પોતાના હસ્તકના ‘મુક્તિદૂત માસિક’માં અવારનવાર એનો જ અપપ્રચાર ચલાવ્યે રાખ્યો હતો. તેમજ પોતાના માર્ગદર્શનથી જ્યાં જ્યાં પર્વપર્યુષણાની આરાધના કરાવવા શ્રાવકોને મોકલાયા, ત્યાં પણ આ ખોટી વસ્તુનો પ્રચાર તથા તે મુજબ વહીવટ કરાવવાનો પ્રયત્ન થયો.
(૫) આ.શ્રી અભયશેખરસૂરિએ પણ વિ.સં. ૨૦૫૧માં દેવદ્રવ્ય અને જિનપૂજા' નામની પુસ્તિકા લખીને ‘દેવદ્રવ્યથી શ્રાવક જિનપૂજા કરી શકે’ આવી તદ્દન શાસ્ત્રવિરુદ્ધ માન્યતાને અનેક કુતર્કોના સહારે આધારે અલ્પજ્ઞ લોકોના મનમાં ઠોકી બેસાડવાની કોશિષ કરી છે. (નોંધ : વિ.સં. ૨૦૪૪ના સંમેલનના દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય સંબંધી ઠરાવના સમર્થનમાં આગળ આવેલા એ વર્ગના વિ.સં.૨૦૪૪ પૂર્વેના પ્રવચનાંશો જોશો તો તેઓ ત્યારે શું બોલ્યા હતા અને હવે વિ.સં.૨૦૪૪ પછી પોતાના પુસ્તકોમાં શું લખી રહ્યા છે, તેનો તફાવત સમજાઈ જશે. એકદમ શિર્ષાસન થયેલું જોવા મળશે. આ પુસ્તકમાં
-