Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫ વિતરાગને ગહણીય કૃત્ય કાંઈ હોતું નથી એ બતાવવા માટે પૂર્વપક્ષીએ જે ઉપદેશપદની સાક્ષી આપી તે સાક્ષીનું વચન દ્રવ્યવધને આશ્રયીને નથી, પરંતુ ભાવપ્રાણાતિપાતનિષેધની અપેક્ષાએ છે. દ્રવ્યવધના વિષયમાં જે અશક્યપરિહારરૂપ હિંસા છે તે અગહણીય છે; કેમ કે દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ પ્રાણાતિપાતાદિ વ્રતભંગ સ્વરૂપ છે અથવા કેવલ ભાવપ્રાણાતિપાતાદિ વ્રતભંગ સ્વરૂપ છે. માટે શિષ્ટલોકોને દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ હિંસા ગહણીય છે અથવા ભાવહિંસા ગણીય છે, પરંતુ યતનાપરાયણ મુનિથી અશક્યપરિહારને કારણે જે હિંસા થાય છે તે ગહણીય નથી એમ કેવલીના યોગને પ્રાપ્ત કરીને અશક્યપરિહારરૂપ હિંસા ગહણીય નથી. વળી, અશિષ્ટલીક વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર જે ગહ કરે છે તે અપ્રયોજક છે. જેમ કૂરકર્મવાળા જીવો ભગવાનની ગહ કરે છે કે ભગવાન સ્વયંભૂ નથી, પરંતુ મનુષ્ય છે માટે તેમને દેવ કહી શકાય નહીં અર્થાત્ ઉપાસ્ય એવા દેવ કહી શકાય નહીં. વળી, દિગંબરો કહે છે કે કવલાહાર કરનારા કેવલી હોઈ શકે નહીં. આ રીતે અશિષ્ટલોકો ભગવાનની ગહ કરે એટલામાત્રથી ભગવાનની અશક્યપરિહારરૂપ હિંસાને કારણે ભગવાનની પ્રવૃત્તિ ગણીય સિદ્ધ થતી નથી. આ કથનથી એ ફલિત થાય કે કષાયની પરિણતિ જ જીવને માટે ગહણીય છે અને કષાયની પરિણતિના ઉચ્છેદ અર્થે જ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ ધારણ કરનારા મુનિઓ સ્વશક્તિઅનુસાર યતનાપરાયણ. થઈને સર્વ પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેમના યોગને આશ્રયીને થતી હિંસા ગહણીય નથી, પરંતુ તેઓમાં વર્તતો પ્રમાદ જ ગહણીય છે. આથી કોઈ મહાત્માના યોગથી બાહ્ય હિંસા ન થાય તો પણ તેઓમાં વર્તતો પ્રમાદનો યોગ ગહણીય છે; કેમ કે તે પ્રમાદને કારણે જ હિંસા નહીં થવા છતાં હિંસાને અનુકૂળ પ્રમાદરૂપ પરિણતિ હોવાને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ક્ષીણમોહવાળા કેવલી સર્વથા કષાય વગરના હોવાથી તેઓના પરિણામમાં ક્યારેય કર્મબંધને અનુકૂળ કષાયની પરિણતિ થતી નથી, તેથી જ શક્તિઅનુસાર જીવરક્ષા માટે કેવલી યત્ન પણ કરે છે, આમ છતાં અશક્યપરિહારરૂપ હિંસા થાય એટલામાત્રથી તેઓની પ્રવૃત્તિ ગહણીય છે એમ કહી શકાય નહીં. આની જ પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષી મોહની સત્તાથી દ્રવ્યહિંસા સ્વીકારે છે અને મોહના ઉદયથી ભાવહિંસા સ્વીકારે છે. આ પ્રમાણે તેના મતાનુસાર ઉપશાંતમોહરૂપ અગિયારમા ગુણસ્થાનકમાં મોહની સત્તાના કારણે ગહણીય એવું દ્રવ્યપ્રાણાતિપાત થાય છે તેમ તે સ્વીકારે છે. જો આમ સ્વીકારવામાં આવે તો અગિયારમા ગુણસ્થાનકમાં યથાખ્યાતચારિત્રના વિલોપનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે મોહની સત્તાના કારણે ગહણીય એવું પ્રાણાતિપાત તેઓના યોગથી થાય છે માટે પરિપૂર્ણ શુદ્ધચારિત્ર તેઓમાં નથી તેમ માનવું પડે. વસ્તુતઃ શાસ્ત્રકારોએ અગિયારમા ગુણસ્થાનકે યથાખ્યાતચારિત્ર માન્યું છે. ઉપશાંતમોહમાં થતી દ્રવ્યહિંસા ગહણીય નથી માટે જેમ અગિયારમાં ગુણસ્થાનકમાં અશક્યપરિહારરૂપ હિંસા ગહણીય નથી તેમ કેવલીની પણ અશક્યપરિહારરૂપ હિંસા ગણીય નથી એમ માનવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326