Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 289
________________ ૨૭૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ અનેકાંત જ સ્વીકાર્યો છે. તે=નાના જીવોના કે મોટા જીવોના વધમાં સદેશ કર્મબંધ કે વિસદેશ કર્મબંધ છે તેનો અનેકાંત, સૂત્રકૃતાંગમાં કહેવાયો છે — “જે કોઈ ક્ષુદ્ર જીવો છે તે અથવા મોટા શરીરવાળા જીવો છે તેઓની સાથે સદેશ વૈર છે—તેઓની હિંસામાં તેઓની સાથે સદેશ વૈર છે અથવા અસદેશ વૈર છે એ પ્રમાણે કહેવું નહીં=એ પ્રમાણે એકાંતે કહેવું નહીં. આ બન્ને સ્થાનોથી=સૂક્ષ્મ જીવો કે બાદર જીવોના વધમાં સદેશ કર્મબંધ છે કે વિસદેશ કર્મબંધ છે એ બન્ને સ્થાનોથી, વ્યવહાર વિદ્યમાન નથી. વળી આ બન્ને સ્થાનો વડે=આ બંને પ્રકારની પ્રવૃત્તિના આચરણ વડે, અનાચાર તું જાણ.” આની વૃત્તિ=સૂત્રકૃતાંગ સૂત્રની વૃત્તિ, ‘યથા’થી બતાવે છે 1 “જે કોઈ ક્ષુદ્ર જીવો=એકેન્દ્રિય આદિ પ્રાણીઓ, છે અથવા અલ્પકાયવાળા પંચેન્દ્રિય આદિ છે અથવા મહાકાયવાળા પ્રાણીઓ છે અને તેઓને=ક્ષુદ્ર તથા અલ્પકાયવાળા કુંથુ આદિ જીવોને, અથવા મહાન આલય=શરીર, છે જેઓને તે મહાલયવાળા હસ્તિ-અભ્યાદિ તેઓના વધમાં સદેશ વૈર=વજ્ર અર્થાત્ કર્મ, અર્થાત્ વિરોધલક્ષણ વૈર, સદેશ–સમાન, છે; કેમ કે સર્વ જીવોનું તુલ્યપ્રદેશપણું છે એ પ્રમાણે એકાંતથી કહેવું નહીં અને વિસર્દેશ=અસદેશ, તેમની વ્યાપ્તિમાં વૈર=કર્મબંધ અથવા વિરોધ છે; કેમ કે ઇન્દ્રિય, વિજ્ઞાન અને કાયાનું વિસર્દેશપણું છે. પ્રદેશનું તુલ્યપણું હોવા છતાં પણ સમાન વૈર નથી એ પ્રમાણે પણ ન કહેવું=એ પ્રમાણે પણ એકાંતે ન કહેવું, જો વધ્ય અપેક્ષાથી જ કર્મબંધ થાય તો તેમના વશથી કર્મનું પણ સાદૃશ્ય કે અસાદૃશ્ય કહેવું ઘટે છે અને તેમના વશથી જ=વધ્યના વશથી જ, બંધ નથી, પરંતુ અધ્યવસાયવશથી પણ બંધ છે અને તેથી તીવ્ર અધ્યવસાયવાળા જીવને અલ્પકાયવાળા જીવના વ્યાપાદનમાં પણ મહાનવૈર=મોટો કર્મબંધ છે. વળી અકામવાળાને મહાકાયવાળા જીવના વ્યાપાદનમાં પણ સ્વલ્પ કર્મબંધ છે. આને જ=અધ્યવસાય પ્રમાણે પણ કર્મબંધ છે એને જ, સૂત્રથી જ બતાવવા માટે કહે છે – ‘તેહિ’ ઇત્યાદિ. અન્યતર કહેવાયેલાં આ બન્ને સ્થાનોથી અથવા આ બન્ને સ્થાનોનું=અલ્પકાય-મહાકાય વ્યાપાદનથી આપાદિત કર્મબંધમાં સદેશત્વ-વિસટશત્વરૂપ બન્ને સ્થાનોનું, વ્યવહરણ=વ્યવહાર, નિર્યુક્તિકપણું=યુક્તિરહિતપણું, હોવાથી ઘટતું નથી. તે આ પ્રમાણે વધ્યનું સદૈશપણું અથવા અસદશપણું (એ) એક જ કર્મબંધનું કારણ નથી; પરંતુ વધકનો તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાનભાવ, અજ્ઞાનભાવ, મહાવીર્યપણું અને અલ્પવીર્યપણું એ પણ કારણ છે=કર્મબંધનું કારણ છે. આ રીતે=વધ્ય અને વધકના વિશેષથી કર્મબંધનો વિશેષ છે એ રીતે, વ્યવસ્થિત હોતે છતે વધ્યને જ આશ્રયીને સદેશત્વ-અસદેશત્વનો વ્યવહાર=સદેશકર્મબંધ છે - વિસર્દેશ કર્મબંધ છે એ પ્રકારનો વ્યવહાર, વિદ્યમાન નથી. અને આ બન્ને સ્થાનમાં પ્રવૃત્તને અનાચાર જાણવો=સમ્યગ્દર્શનનો અનાચાર જાણવો. તે આ પ્રમાણે - જીવના સામ્યથી કર્મબંધનું સદેશપણું જે કહેવાય છે તે અયુક્ત છે જે કારણથી જીવના વધથી હિંસા કહેવાતી નથી; કેમ કે જીવનું શાશ્વતપણું હોવાને કારણે નાશ કરવાનું અશક્યપણું છે, વળી ઇન્દ્રિય આદિની વ્યાપત્તિથી હિંસા કહેવાય છે. અને તે પ્રમાણે કહેવાયું છે - પાંચ ઇન્દ્રિયો, ત્રણ પ્રકારનું બળ=મનોબળ, વચનબળ, કાયબળ, ઉચ્છ્વાસ નિઃશ્વાસ અને અન્ય એવું આયુષ્ય, આ દશપ્રાણો ભગવાન વડે કહેવાયા છે તેઓનું વિયોજીકરણ વળી હિંસા છે. () ઇત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326