Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નીચે રહેલ ઘને દધિન કે જે વીસ હજાર એજનની પહોળાઈ વાળે છે, તેને ક્ષેત્રછેદ પણાથી જ્યારે વિભાગ કરવામાં આવે, તે શું ત્યાં જે દ્રવ્ય છે, તે વણની અપેક્ષાથી કાળા વિગેરે રૂપે ગંધની અપેક્ષાથી સુરભિ. દુરભિગંધપણાથી, રસની અપેક્ષાથી તીખા કડવા વિગેરે પણથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી શું પરિણત થાય છે? કેમકે તેમાં રહેલ દ્રવ્ય અન્ય બદ્ધ વિગેરે વિશેષણે વાળું હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ! શર્કરામભાના ઘનેદધિના આશ્રયે રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન પણાથી પરિત થાય છે. અને અન્યોન્ય સંબદ્ધ વિગેરે વિશેષણવાળું હોય છે.
“gવં પળવારણ, ઝવેગ નો રસથાસ’ એ જ પ્રમાણે શર્કરામભાના ઘનોદધિની નીચે રહેલા ઘનવાત કે જે અસંખ્યાત હજાર જનની પહોળાઈ વાળે છે, તેના ક્ષેત્રછેદપણાથી વિભાગ કરવામાં આવે તે તેમાં રહેલ દ્રવ્ય શું વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે પણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા કડવા રસ વિગેરે પ્રકારથી પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણત થાય છે. અને અન્યોન્ય સંબદ્ધ વિગેરે વિશેષણોવાળો થઈને રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હા ગૌતમ તેઓ તેમાં રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન વિગેરેથી પરિણત વિગેરે પૂર્વવત્ હોય છે. એ જ પ્રમાણે શર્કરામભાના ઘનવાતની નીચે રહેલ તનુવાત, કે જે અસંખ્યાત હજાર એજનની પહોળાઈ વાળે છે, તેને કેવળીની બુદ્ધિથી ક્ષેત્રછેદથી વિભાગ કરવામાં આવે તે તેમાં રહેલ દ્રવ્ય, શું વર્ણની અપેક્ષાથી કાળાદિ પણાથી ગંધની અપેક્ષાએ સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા વિગેરે રૂપથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપે પરિણમે છે. વિગેરે પૂર્વવત કથન સમજી લેવું.
એજ પ્રમાણે અસંખ્યાત હજાર એજનની પહોળાઈ વાળો અવકાશાન્તર કે જે તનુવાતની નીચે છે. તેના ક્ષેત્ર છેદ પણાથી વિભાગ કરવાથી તેમાં રહેલા જે દ્રવ્ય છે. તે વર્ણની અપેક્ષાથી કાળા વગેરે રૂપે ગંધની અપેક્ષાથી સુરભિ દરભિ ગંધપણાથી. રસની અપેક્ષાથી તીખા, કડવા, વિગેરે પણાથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પ્રકારથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપે પરિણમિત થઈને વિગેરે પહેલા કહેલ પ્રકારથી રહે છે, તેમ સમજવું.
“=ા સરદqમાણ વં જાવ રે વરમાણ” જે પ્રમાણે શર્કરા પ્રભામાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર છે એ બધાના ક્ષેત્રછેદ પણાથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્યનું વર્ણની અપેક્ષાથી કાલાદિ રૂપે યાવત સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણત થવાના સંબંધમાં
જીવાભિગમસૂત્ર
૧૪