Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
''
હોવાને કારણે તે નિરપેક્ષરૂપ છે “નિર્દેો” શ્રુતચારિત્રરૂપ ધથી રહિત હોવાને કારણે નિ રૂપ છે. “ નિષ્વિવાસો ” તેમાં અન્યનાં જીવન પ્રત્યે સ્નેહભાવ રહેતા નથી તેથી તે નિષ્કિંપાસરૂપ છે. “ નિજીળો ’” તેમાં દયાભાવના તદૃન અભાવ રહે છે તેથી તે નિષ્કરુણુરૂપ છે. “ નિચવાસ મળનિધળો ” નરક ગમન જ તેનુ અંતિમ ફળ હોય છે, તે કારણે તે નિરયવાસગમનનિધનરૂપ છે “મોમર્મચચદબો ’” મોહરૂપ મહાભયને તે પ્રવક છે, તે કારણે તે મેહ મહાભય પ્રવર્ત્તક રૂપ છે. “ મળવેમળÆો” મરણરૂપ કારણથી પ્રાણિઓમાં તેનાથી દૈન્યભાવ ઉત્પન્ન થાય છે, તેથી તે મરણુવૈમનસ્ય રૂપ છે. તે કારણે તે પ્રાણવધતુ જ્ઞ પરિજ્ઞાથી સ્વરૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના સથા પરિત્યાગ કરવા જોઇએ. આ પ્રમાણે કહીને હવે સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે- ત્તિનેમિ ” હે જમ્મૂ ! પ્રાણવધનું આ પૂ`કથિત સ્વરૂપ નિરૂપણુ તથા ચાર ગતિમાં ભ્રમણુરૂપ તેનું ફળ મે' સાક્ષાત્ તીર્થંકર ભગવાન મહાવીર પાસે સાંભળેલ છે, અને તેમણે કહ્યા પ્રમાણે જ તે તમને કહ્યું છે. તેની અંદર મે મારી પેાતાની કલ્પનાનું કાંઇ પણ ઉમેયુ નથી, કારણ કે પેાતાની બુદ્ધિથી કલ્પના કરીને કહેવાથી શ્રુતજ્ઞાનના અવિનય થાય છે તથા જ્યાં સુધી છદ્મસ્થ રહે છે ત્યાં સુધી જ્ઞાનનું પ્રમાણ પણ અપૂર્ણ હોય છે, તેથી પેાતાનાથી પ્રતિપાદિત વસ્તુનુ સ્વરૂપ યથાવત્ ( જેવું હોય તેવું જ) પ્રતિપાદિત થઈ શકતું નથી, તેથી મેં આ જે પ્રવચનસ્વરૂપ કહ્યું છે તે ભગવાનદ્વારા જે પ્રમાણે પ્રરૂપિત છે તે પ્રમાણે જ કહ્યું છે. કહ્યું પણ છે
''
"सुअणाणस्स अविणओ, परिहरणिज्जो सुहोहिलासीहिं ।
સમસ્યા વિકી, જુળસ્થિ—ત્તિ સર્ચ ફળ ૫। તિ ॥
સુખાભિલાષી જીવાનુ` કતવ્ય છે કે તેમણે શ્રુતજ્ઞાનના અવિનય કરવાનુ છેડી દેવું જોઇએ. છદ્મસ્થાની દૃષ્ટિ અપૂર્ણ રહે છે, એજ વાત ‘કૃત્તિ ” પદ દ્વારા અહીં સૂચિત કરવામાં આવી છે. ॥ સૂ. ૪૭ ॥
'
આ રીતે હિંસાદિ પચાસન દ્વારમાં પ્રાણવધ નામનુ પ્રથમ દ્વારે સમાપ્ત થયું.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૭૨