Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વીરે “quorવિયં ” આ ચોથા દ્વારને શિવ્યને માટે સામાન્ય રૂપે સમજાવ્યું છે. “પવિ” ત્યાર બાદ ભેદ પ્રભેદ પૂર્વક તેનું કથન કર્યું છે. “સિદ્ધ” તે કારણે જિનવચનમાં તે પ્રસિદ્ધ થયેલ છે. તથા “વિક્રવાસનિબં” ભૂતકાળમાં જેટલા સિદ્ધ થઈ ગયા છે તેમનું આ મુખ્ય આજ્ઞા રૂપ શાસન છે. “આઘવ” એવું ભગવાન મહાવીરે તેને વિષે સર્વે ભાવથી કહ્યું છે અને “સુણાં” દેવ, માણસે તથા અસુરોથી યુક્ત પરિષદામાં તેને ઉપદેશ આપે છે. “ઘ” સમસ્ત પ્રાણીઓને માટે હિતકારક હોવાથી પ્રશસ્ત મંગળમય છે.“નારથે સંવરામ”આ ચોથું સંવરદ્વાર સમાપ્ત થયું. “ત્તિનિ” હે જંબૂ! જેવું ભગવાનને મુખે સાંભળ્યું હતું તેવું જ તેનું કથન કરૂં છું.
ભાવાર્થ –આ ચોથા સંવરદ્વારને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે જે મુનિજન આ ચોથા સંવરદ્વારને મન, વચન અને કાય એ ત્રણે યેગોની શુદ્ધિ પૂર્વક પાંચ ભાવનાઓ સહિત મરણ સુધી પાળે છે તેમનાં અશુભ અધ્યવસાય બંધ થઈ જાય છે. નવીન કર્મોને બંધ પણ અટકી જાય છે. સંચિત કર્મોની નિજર થવા માંડે છે, પાપને સ્ત્રોત અટકી જાય છે. તે અપરિસાવી આદિ વિશેષણો વાળું છે. ત્રિકાળવતી સમસ્ત અહંત ભગવાને એ તેનું પાલન કરેલ છે. તેમના કથનાનુસાર ભગવાન મહાવીરે પણ તેના સ્વરૂપ આદિ દર્શાવીને તેનું કથન કર્યું છે. આ પ્રમાણે શ્રી સુધર્મા સ્વામીએ પિતાના શિષ્ય અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીને સમજાવ્યું છે. જે સૂ. ૧૧ છે
સંવરદ્વાર સમાપ્ત છે ૪
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
३४८