Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
કારણે તે પાપ નરક તિગેાદ આદિ દુ^તિયાના અનત દુઃખાનું જનક હાવાથી તેનાથી સદા ભરેલ રહે છે એમ કહેવામાં આવ્યુ છે. આ પ્રકારના વિશેષ— ણાથી યુક્ત પાપ આ જીવ પાપયુક્ત મનથી કરે છે. એવું સમજીને “ ચાવિ વિવિ” કાઈ પણ કાળે સહેજ પણ “ વાવવાં મળે ?” પાપકારી મનથી “ વાવવાં ” પાપ-અશુભ મૈં જ્ઞાયવ્ય ’ વિચારવું જોઇએ નહીં “ વ મળસમિનોનેન અંતરઘ્ધા માવિયો મવક્' આ પ્રકારે અંતરાત્મા-જીવ મનઃ મિ તિના ચેાગથી ભાવિત થાય છે. “ असबलमसंकिलिट्ठनिव्वणचरितभावणाए અસિત્ સંગર્સુસાન્દૂ ” તે ભાવિત આત્મા મલિનતાથી રહિત તથા વિશુદ્ધ મનઃ પરિણામથી યુક્ત એવી હેતુભૂત ચારિત્ર ભાવનાના પ્રભાવથી અહિંસક થાય છે અને સયત અને છે. અને એવું થવાથી જ તે સાચા સાધુ–માક્ષ સાધક મુનિ કહેવાય છે.
ભાવા-મનને અશુભ ધ્યાનથી ખચાવીને શુભ ધ્યાનમાં લગાડવું તેને મનેાતિ કહે છે શુભ ધ્યાનમાં લગાડવાને ઉપદેશ એ માટે અપાય છે. અથવા મનને શુભ ધ્યાનમાં તે કારણે લગાડાય મન પોતે જ અશુભ બનવા પામે નહીં અશુભ ધ્યાનના સંપર્કથી મન અશુભ ખની જાય છે, અને અશુભ મનથી પાપનું જ ઉપાર્જન થાય છે. પાપથી જીવાને વિવિધ પ્રકારનાં કટા ભાગવવાં પડે છે. કારણ કે પાપ પાતે જ એક અધમ છે., અધમ હાવાથી જ તે આત્માના હિતનું ઘાતક બને છે, એને એજ કારણથી જીવાને વિવિધ પ્રકારનાં દુઃખા દે છે. આ પ્રમાણે વિચાર કરીને જે મુનિજન પેાતાના મનને કદી પણ અશુભ ધ્યાનમાં લગાડતા નથી, તેનાથી બચતા રહે છે, એવા તે મુનિ તે મન સમિતિથી ભાવિત ખનીને પાતામા અહિંસાવ્રતનું નિર્દોષ પાલન કરીને અહિંસક બની જાય છે, અને તે રીતની પ્રવૃત્તિ કરવાના રંગે રંગાયેલ તે મને સાચા અર્થમાં સાધુનાં પત્તુને સાક કરે છે ॥ સુ. ૭ ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૬