________________
અભયકુમાર ચરિત્ર છીએ. ૨૫.
હે મેઘમુનિ ! અઢી દિવસ પછી દાવાનળ શાંત થયો અથવા ઘાસ પણ કાળથી પાકે છે. ૨૬. જેમ પરચક્ર ચાલી ગયા પછી દેશવાસીઓ કિલ્લામાંથી બહાર નીકળે તેમ સિંહ વગેરે જીવો માંડલા છોડીને ચાલ્યા ગયા. ૨૭. જેમ પર્વત ઉપરથી શિલા પડે તેમ લાંબા સમયથી પગ તેવી સ્થિતિમાં જકડાઈ જવાથી, અને ખિન્ન થયેલ શરીરવાળો, તૃષાતુર થયેલ તું દુર્ગતિના મસ્તક ઉપર પગ મૂકીને જેટલામાં પાણી પીવા દોડ્યો તેટલામાં એકાએક પૃથ્વી ઉપર પડ્યો. ૨૯. શિયાળ-કાગડા વગેરેએ તૃષ્ણાથી પીડિત તારી ફોલીને કદર્થના કરી તેથી આશ્ચર્ય છે કે ખરેખર આ પંચાયત નરકમાં બેઠી અર્થાત્ જે દશ્ય નરકમાં ઉપસ્થિત થાય છે તે અહીં થયું. ૩૦. જેમ વણિકો રત્નના સમૂહને બાંધે તેમ વ્યથાને સહન કરીને અને સસલાની અનુકંપા કરીને તે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. ૩૧. સર્વ મળીને સો વરસનું આયુષ્ય પાળીને મરીને શ્રેણિકના પુત્રરૂપે ઉત્પન્ન થયો. ખરેખર દયા એ કામધેનુ છે. ૩ર. હે વિવેકિન્! પશુના ભવમાં પણ સસલાના રક્ષણ માટે વેદના સહન કરી તો હમણાં તું સાધુઓના સંઘટ્ટાથી કેમ દુભાય છે? ૩૩. હંમેશા શીલથી શોભતા મુનિઓના ચરણની શ્રેણી કોઈક ધન્યના શરીર ઉપર પડે. કોના શરીર ઉપર અમૃતની વૃષ્ટિ વરસે? (તે તું વિચાર.) ૩૪.
પ્રભુની વાણી સાંભળીને મેઘકુમારે પોતાના પૂર્વના બે ભવોને યાદ કર્યા. અથવા સ્વામીની કૃપાથી જીવો પૂર્વના અનંતા ભવોને જાણી શકે છે. અર્થાત્ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ૩૫. પ્રભુએ તેના દુર્ગાનને દૂર કરાવીને સંવેગી બનાવ્યો. શું વૈદ્ય શોષને દૂર કરીને અમૃતકલાને આપતો નથી? ૩૭. હર્ષાશ્રુની ધારા વહન કરતા મેઘે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી. ચિત્તને સંકલેશથી રહિત કર્યું. હવે શરીરને પણ કોમળ (સહનશીલ) બનાવીશ. ૩૭. પ્રભુને વારંવાર નમીને મિથ્યા દુષ્કત આપ્યું. ખોટું કાર્ય થયા પછી મહાત્માઓને ઘણો પશ્ચાતાપ થાય છે. ૩૮. પ્રભુને જણાવ્યું : હે વિશ્વસ્વામિન્ ! હવે પછી બે આંખોને છોડીને બાકીનું સંપૂર્ણ શરીર મુનિઓને આપું છું. ૩૯. જેમ સ્વામી સેવકને ઈચ્છા મુજબ પ્રવર્તાવે તેમ આ સર્વે પણ સાધુ મહાત્માઓ ઈચ્છા મુજબ મારા શરીરનો ઉપયોગ કરે. ૪૭. એ પ્રમાણે અભિગ્રહ કરીને શરીરના ગ્રહના નિગ્રહમાં તત્પર સત્ત્વશાળી મેઘે આજીવન સુધી ખદ્ભધારાની જેમ વ્રતનું પાલન કર્યું. ૪૧.
પછી મેઘમુનિએ પ્રભુની સાથે પૃથ્વીતલ ઉપર વિહાર કર્યો. જો કલ્પવૃક્ષની સેવા કરવા મળે તો કોણ દૂર જાય? ૪૨. તે ગુરુની પાસે અગિયાર અંગ ભણ્યો. કેમકે ઉપદેશ વગર એક અક્ષર પણ આવડતો નથી. ૪૩. જીવદયાના પાલનમાં ઉત્સુક મેઘમુનિએ વિવિધ તપ આચર્યા. દયા વિનાનો કરેલો તપ આંધળાની દોરડી સમાન થાય છે અર્થાત્ કર્મની નિર્જરા કરાવતો નથી. ૪૪. પછી મેઘમુનિએ વિશેષથી ગુણરત્ન સંવત્સર તપ કર્યો. જેમ ચંદ્રની સોળ કલા છે તેમ આ તપ સોળ માસ સુધી વહન કરાય છે. ૪૫. પ્રથમ માસે એકાંતરે ઉપવાસ, દિવસે ઉત્કટુક આસનમાં રહેવું અને રાત્રે વીરાસનમાં રહેવું. બીજા મહિનાથી એકેક ઉપવાસથી વધતા વધતા સોળમા માસે સોળ ઉપવાસના પારણે સોળ ઉપવાસ. ૪૭. પ્રથમ માસમાં ઉત્કટુક અને વીરાસન બતાવ્યા છે તે બાકીના મહિનાઓમાં પણ તે બે પ્રકારના આસનોથી ખરેખર રહ્યો. ૪૮. આ પ્રમાણે ચારસો એંસી દિવસમાં તપને સારી રીતે વહન કર્યો. સત્ત્વશાળી જીવોને શું દુષ્કર છે? ૪૯. ત્યાર પછી તેણે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની સંખના કરી. બાહ્ય શુદ્ધિ હોવા છતાં અત્યંતર શુદ્ધિ ન હોય તો ત્રણ રુઝાતું નથી. ૫૦. તેમાં શરીર સુકાઈને હાડચામાં રહ્યા છે તે પ્રથમ દ્રવ્ય સંલેખના