________________
૮૭
સર્ગ-૪
કાર્યસિદ્ધિ આપનારા નથી. ૮૭. હે તાત ! આને સિંહાસન ઉપર બેસાડીને સ્વયં પૃથ્વી ઉપર બેસો ઊંચી ભૂમિ ઉપરથી પાણી નીચે ઢળે છે તેમ વિનયશીલ આત્મામાં વિધા સંક્રમિત થાય છે. ૮૮. વિદ્યાના અર્થી રાજાએ પણ તે પ્રમાણે કર્યું. પોતાની ગરજથી શું નમ્ર ન થવાય ? માન કષાયને છોડનાર શ્રેણિકે ચાંડાલ પાસેથી ઉન્નામિની અને અવનામિની બે વિદ્યા ગ્રહણ કરી. ૮૯. આ હમણાં વિધાગુરુ થયા છે એમ કહીને મગદ્દેશ પાસેથી ચોરને મુક્ત કરાવ્યો. અથવા તો એકવાર કળા મોટા પણ સંકટમાંથી છોડાવે છે. ૯૦. મારો દોહલો પૂરો નહીં થાય એમ માતંગી સતત મનમાં ચિંતા કરતી હતી તેટલામાં શિકારીના હાથમાંથી ભૂંડ છૂટીને આવે તેમ માતંગ છૂટીને ઘેર આવ્યો. ૯૧.
અભયની બુદ્ધિથી સર્વકંટકો દૂર કરીને રાજા જેટલામાં રાજ્યલક્ષ્મીનું પાલન કરે છે તેટલામાં સુરાસુરોથી સ્તવના કરાતા છે ચરણરૂપી કમળો જેના એવા શ્રી મહાવીર જિનેશ્વર સમોવસર્યા. ઉદ્યાન પાલકે જલદી આવીને પ્રભુના આગમનની વધામણી આપી. રાજાએ તેને દારિદ્રરૂપી કંદના મૂળને ઉખેડી નાખે તેવું ધનનું પારિતોષિક દાન આપ્યું. ૯૩. પછી તેજસ્વી, વાંકી ડોકવાળા,ઉન્નત સ્કંધવાળા, સ્નિગ્ધ કેશયાળવાળા, વિસ્તૃત પૃષ્ટ પ્રદેશવાળા, માંસ રહિત મુખવાળા સીધા કાનવાળા, વાયુ અને મનનીજેવા વેગવાળા, ઉત્તમ અશ્વપર બેસીને પ્રભુના આગમનના વૃત્તાંતને સાંભળીને જાણે હર્ષથી નૃત્ય ન કરતો હોય એવો મગધપતિ શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા ચાલ્યો. અથવા તો એના ભાગ્યની કોઈ સીમા ન હતી. ૯૫. હાથથી ઉત્તમ કૃપાણોને નચાવતા, પ્રશસ્ત હાથમાં વિશાલ વજને શોભાવતા એવા શ્રેષ્ઠ પદાતિઓ રાજાની આગળ-પાછળ અને પડખે ચાલી રહ્યા હતા. સિંદુરપુર જેવા લાલકુંભ મંડળોને ધરનારા, વાદળ જેવા કાળા અને ચંચળ એવા હાથીઓ જેની સાથે ચાલી રહ્યા છે. જાણે સૂર્યના ઘોડાઓના સમૂહને હેપારવથી જાણે હસી કાઢતા ન હોય તેવા ઘોડાઓ જેની સાથે ચાલી રહ્યા છે. ઘંટા,પતાકા અને કળશોને ધરનારા જંગમ પ્રાસાદના વૃંદ જેવા રથોથી શોભતો શ્રેણિક રાજા જાણે સ્વર્ગમાંથી ઈન્દ્ર ન અવતર્યો હોય તેમ મહાવીર પરમાત્માને વંદન કરવા ચાલ્યો. ૯૮. જેમ નીલોત્પલ અંતર્ગત પુંડરીક કમળ શોભે સામંતોના મસ્તક ઉપર રહેલ ચંદનથી નિર્મિત છત્રની અંતરાલમાં રહેલ રાજાના મસ્તક ઉપર રહેલું શ્વેત આતપત્ર ઘણું શોભ્યું. ૯૯.
આગળ માર્ગમાં જનમવા માત્રથી ત્યજી દેવાયેલી બિલાડી-ભૂંડ-સર્પ અને કૂતરીના મડદાથી પણ અતિ દુર્ગંધવાળી હોવા છતાં રૂપથી સ્વરૂપવાન એવી કોઈક બાળકી પડેલી હતી. ૧૦૦. યુદ્ધના મેદાનમાં કયારેય પીછેહઠ નહીં કરનાર સૈનિકો જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ ભાગી જાય તેમ બાળકીના ગંધથી ક્ષણથી ભાગ્યા અને પોતાની નાસિકાને હાથથી દબાવીને ચાલવા લાગ્યા. ૨૦૧. રાજાએ પુછ્યું : અરે ! આ શું થયું ? એક સૈનિકે રાજાને જણાવ્યું જાણે સાક્ષાત્ પાપની માળા ન હોય એવી અત્યંત દુર્ગંધમય એક બાલિકા અહીં પડેલી છે. ૬૦૨. રાજાએ સ્વયં તેને જોઈને લેશમાત્ર પણ જુગુપ્સા ન કરી. હું આનું ચારિત્ર્ય ભગવાનને પૂછીશ એમ વિચારતો રાજા આગળ ચાલ્યો. ૩. ભગવાન પાસે પહોંચીને નમીને રાજાએ પૂછ્યું : હે સ્વામિન્ ! મેં આજે લશણની દુર્ગંધ જેવી દુર્ગંધ મારતા શરીરને પામેલી એક બાલિકાને મેં આજે માર્ગમાં જોઈ તેણીએ એવું કયું કર્મ બાંધ્યું હશે ? ૪. લોકોને બોધ થાય એ હેતુથી પરમાત્માએ કહ્યું :
પર્યંત દેશના શાલિપૂર્વક ગામમાં ધનમિત્ર નામનો ધનાઢય વણિક રહેતો હતો. અથવા તો શું ભૂમિ ઉપર કમળો નથી ઉગતા ? જાણે સાક્ષાત્ ધનલક્ષ્મી ન હોય તેવી હર્ષને ધરનારી ધનશ્રી નામે એને ઉત્તમ