Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 246
________________ સર્ગ-૧૦ ૨૪૧ બોલ્યોઃ પૂજ્યપાદે લોકોના વચનને માની લીધું છે. તો ભલે મનાયેલું રહે તેથી મને કોઈ હાની નથી. ૫૮. હે વિભુ ! જો કે અત્યારે મારી પ્રતિભા ચાલી ગઈ છે. અર્થાત્ ખોટો ઠર્યો છે. તો પણ હે જિતાહિત (શત્રુઓને જીતનારા હે પિતાશ્રી) હું જલદીથી મારા બોલેલા વચનને પૂરવાર કરી આપીશ. શું લોકો પ્રમિતિનું કારણ ઉદાહરણ વિના મારા ઉપર વિશ્વાસ કરશે? ૧૯. પોતાની વાત પૂરવાર કરવા અભયે પિતા પાસે પાંચ દિવસ રાજ્ય કરવાનો ઉત્તમ અવસર માગ્યો. કેમકે પોતાની પ્રભુતા વિના મનુષ્યોને ફળ મળતું નથી. ૬૦. રાજાએ ક્ષણથી અભયને રાજ્ય આપ્યું. પુરુષો અભિવાંછિતને આપનારા હોય છે. શ્રેણિક રાજા અવરોધ (લડાઈ)નો વિરોધી હોવા છતાં પાંચ દિવસ સુધી આનંદપૂર્વક અવરોધ (અંતઃપુર)માં સુખપૂર્વક રહ્યો. ૬૧. આજે ક્ષણથી રાજાના શરીરમાં અતિગાઢ રોગ ઉત્પન્ન થયો છે. વૈધે કહ્યું છે કે માણસના કલેજાના બે યવ જેટલા માંસથી મટશે. ૨. પોતાના સ્વામી શ્રેણિક રાજા ઉપર ભક્તિ ધરતા હો તો પોતાના કલેજામાંથી બે યવ માંસ આપો. અરે ! પીરજનો હમણાં પરીક્ષાની શિલાનો કિનારો પ્રગટ થશે. અર્થાત્ રાજા ઉપર તમારી કેવી ભક્તિ છે તે આજે ખબર પડશે. ૩. રોગથી મુક્ત થયેલ કૃતજ્ઞ રાજા તમારા ઈચ્છિતને જલદીથી આપશે એમ અભયે માણસ પાસે ઘણી વસતિવાળા નગરમાં ઘણી ઘોષણા કરાવી. ૬૪. પછી કોઈએ પણ આ ઘોષણાનો સ્વીકાર ન કર્યો. કોણ સામે ચાલીને મરણની આપત્તિને વહોરે? જગતના જીવોને જીવન સતત પ્રિય હોવાથી કૃમિને પણ મરવું ઈચ્છિત નથી. કેમકે જગતના સર્વ જીવોને જીવવું ગમે છે. ૬૫. આનંદના ઉત્સાહમાં આવીને માંસ ઘણું સસ્તુ છે એમ જેઓ બોલતા હતા તે બધાને રાજા અભયે પુછ્યું : મુખ્ય રાજાની ઉપશાંતિ માટે યવના માન પ્રમાણે માંસને આપતા તમને શું વાંધો આવે? પૂર્વે તમોએ રાજા અને લોક સમસ્ત માંસ સુલભ છે એમ કહ્યું હતું. દ૬. ભયભીત થયેલ તેઓએ અભયને કહ્યું : દયા કરીને અમને અભય આપો. આ અમે કુમુખવાળા તાંબાના રણકારની જેમ બોદા મુખવાળા જોયા. (અર્થાત્ અભયનું વચન સાંભળીને રાજાઓ તાંબાના રણકારની જેમ પડી ગયેલ મુખવાળા થયા.) તમે અમારી પાસેથી ઘણા ક્રોડગુણ ધનને લો અને અમારા ઉપર કરુણા કરો. હે રાજન્ ! અતિદયાળુ હૈયાવાળા તમે આ ધનથી (અમે આપીએ છીએ તે ધનથી) બીજા પાસેથી માંસ ખરીદી લો. ૬૯. અત્યંત મદ ગળી ગયેલા રાજાઓએ અભયની સામે ધનના ઢગલાઓ પાથર્યા શું કયારેય શેરડીને ગાઢ પીલ્યા વિના રસ નીકળે? ૭૦. કૂડ કપટના ભર વિનાના અભયે પણ કૂટ કરીને ઉપાયથી મેળવેલા વિભવથી રાજાના ભવનને ભરી દીધું છે. તે એવો હતો જે બીજાની જેમ પોતાના ધનમાં તત્પર હોય, અર્થાત્ બીજાઓ ધનમાં આસક્ત થઈ કૂટ ઉપાયોથી ધન મેળવે તેમ તેણે ધન ન મેળવ્યું. પણ રાજાઓએ સ્વેચ્છાથી ધન આપ્યું. ૭૧. અભયે આખા દેશમાં પાંચ દિવસ સુધી કર ઉઘરાવવાના સ્થાનોમાં સંપૂર્ણ પણ કરની માફી આપી. જો એની જગ્યાએ બીજો કોઈ હોત તો અસત્ પણ આચરણ કરત અર્થાત્ કર માફ કરવાને બદલે કર લેવાનું કાર્ય કરત. ૭ર. આણે વિશેષથી લોકને ધનનું દાન આપીને સુખનો બાગ બનાવ્યો. બુધ (બુદ્ધિમાન) જ ઉત્તમ વસ્તુ મેળવીને પાંચ દિવસમાં ભૂમિ ઉપર (દેશમાં) પોતાના કીર્તિરૂપી ઉદ્યાનને રોપે છે. ૭૩. પાંચ દિવસ પછી ઉત્તમમતિ શ્રેણિક રાજાએ પોતાના રાજ્યના કારભારને સંભાળી લીધો. રાત્રે સમુદ્રમાં ચાલ્યો ગયેલો સૂર્ય શું દિવસે આકાશમાં નથી આવતો? ૭૪. સભામાં ઘણાં ધનના ઢગલાને

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322