________________
અભયકુમાર ચરિત્ર
૩૧૬ રમ્ય ચરિત્રનું વર્ણન કર્યું. જ્ઞાનપ્રપા નામની પુસ્તિકા લખાવી. ૩૫. બુદ્ધિમાન બાલચંદ્રની ઘેલા પત્નીએ મોક્ષરૂપી શય્યામાં આળોટવા માટે છ ઉપધાનના ચિહ્નવાળી શીલતુલીને કરી. આ ઘેલાને સાધુની આંખની જેમ સરળ આકૃતિવાળા, લોકમાં સદા સારા કામ કરનાર સુવર્ણની કાંતિને જીતનારા બે પુત્રો થયા. ૩૬ ત્રિભુવનસિંહ શ્રેષ્ઠીની પુત્રી, ખેતૂ નામની રાલ્પણ શ્રાવકના પુત્ર કૂલચંદ્ર શ્રાવકની ધર્મની આશા સમાર બીજી સ્ત્રી થઈ. ૩૭. જેને કારણે પોતાને સત્કલમાં જન્મ, દિવ્ય અલંકાર, વસ્ત્ર ગંધ-ફૂલનો આભોગ અને કલ્યાણના ફળવાળા સુપતિનો આદર પ્રાપ્ત થયો છે તેનો સર્વ સ્વામી એવા દાન-શીલ–તપ અને ભાવમાં દાનના માધ્યમથી કલ્યાણને વિશેષથી પુષ્ટ કરતી નિશ્ચયથી રહી. ૩૮.
ખેડૂએ વીજાપુરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિનપ્રાસાદમાં વરની પ્રતિમા કરાવી અને ચોવીશ જિનેશ્વરોની માતાઓની ઉત્તમ ખંતક (ગોખલો) કરાવ્યું. અને જિનેશ્વરગુરની પાસે વિક્રમ સંવત ૧૩ર૬ વૈશાખ સુદ-૧૧ ને દિવસે તીર્થકરોની પ્રતિષ્ઠાને કરાવી. ૩૯. ખેતૂએ શ્રી શત્રુંજય વગેરે મુખ્ય તીર્થોમાં યાત્રા કરી. કલ્યાણનિધિની પ્રાપ્તિ માટે તથા ધનસિંહ નામના નાના ભાઈ અને પોતાના સ્મરણ માટે શ્રી શ્રેયાંસજિન અને વાસુપૂજ્યના ચૈત્યમાં એક લાખ પુષ્પોથી વિશેષ રીતે પૂજા કરાવી. ૪૦. આ જ્ઞાનપૂજા માટે કુલચંદ્ર સાધુએ ખેતૃપ્રિયા માટે ખરીદી કરાવીને પૃથ્વીચંદ્ર ચારિત્ર રત્ન ઘટિત બે પુસ્તિકા કરાવી. પોતાના ગુરુને અર્પણ કરી. કેમકે તેઓ વડે તે બેને મોક્ષમાર્ગ બતાવાયો હતો. લક્ષ્મી ભવ્ય સાર્થોની સાથે સ્કૂલના પામતી નથી. ૪૧. ખેડૂએ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર અને અભયકુમાર ચરિત્રના ગ્રંથની ત્રણ નકલો સુવર્ણ અક્ષરોથી લખાવી. તેણીએ જ્ઞાનલક્ષ્મીના ભંડારનું બીજ ત્રિપદીને અનુસરનારું પુસ્તક સાધુને અર્પણ કર્યું જેથી આણે ક્ષણથી પણ બળાત્કારે કલ્યાણકારી સ્વર્ગલક્ષ્મીને પ્રાપ્ત કરી ૪૨. કુલચંદ્ર મહણદેવી અને પદ્મલાના કલ્યાણ અર્થે શ્રી વાસુપૂજ્યચૈત્યની અંદર કવલીમાં શ્રી પાર્શ્વસુખકને કરાવ્યું. (ગોખલાની અંદર સૂપને કરાવ્યું.) કુલચંદ્રને કાંબલ દેવિકા નામની બીજી પ્રિયા છે. જે ભાવથી પોતાના આત્માને ધર્મમાં આગળ વધારે છે. ૪૪. જેણીએ જાણે શું ભવાંતરનો પુણ્યપુંજ ન હોય તેમ પોતાના કલ્યાણ અર્થે શ્રીમદ્ મહાવીર જિનેશ્વરની પ્રતિમાને કપૂરખંડ માનપિંડને કરાવ્યું. ૪૫. ભો! ઉત્તમ વૃષભ જેવો આ માનદેવનો વંશ શું સજ્જનોને પ્રસંશનીય નથી? જે વંશ વડે શ્રી વીજાપુરના વાસુપૂજ્ય ભવનમાં વૃષભ જેવા મોટા સંઘની સાથે ઉત્તર પક્ષના દેવ-ગુટિકાના પ્રાગુભારને ધારણ કરાયો. ૪૬. જ્યાં સુધી સ્વર્ગ છે, જ્યાં સુધી વરવર્ણિની જેવી વિશાળ આકાશ લક્ષ્મી છે, જ્યાં સુધી ચકચકિત તારા સમૂહની વિભૂષણા છે, જ્યાં સુધી ગંગા નદી છે, જ્યાં સુધી લવણ સમુદ્ર છે, જ્યાં સુધી ચંદ્રનાયક સહિત નક્ષત્રમાલા છે ત્યાં સુધી વરવર્ણિની જેવી પાંચ પુસ્તકની માલા દીપકની જેમ ઉદ્યોત કરતી રહેશે. ૪૭. લબ્ધિશાળી શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીકુમારગણિકવિ આ પ્રશસ્ત પ્રશસ્તિમાં કારણ છે. ૪૮
આ ગ્રંથ શ્રી જામનગર નિવાસી પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજે સ્વ પરના શ્રેય માટે પોતાના શ્રીજૈન ભાસ્કરોદય છાપખાનામાં છાપી પ્રસિદ્ધ કર્યો છે. સમસ્ત શ્રી સંઘનું શુભ હજો.
ગુરુ શ્રીમ, ચારિત્રવિજયની સુકૃપાથી આ ગ્રંથ પૂર્ણ થયો.
વર્ધમાન તપોનિધિ ગચ્છસ્થવિર આ.ભ. શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ.સા. તથા સ્વ. વિદ્ધવર્ય આ.ભ. શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ.સા. તથા કર્મ સાહિત્ય સર્જક સ્વ. આ.ભ. શ્રીમદ્ વિજય વીર શેખર સૂરીશ્વરજી મ.સા.ની અમીદ્રષ્ટિથી આ ગ્રંથનું ભાષાંતરનું કાર્ય મુનિશ્રી સુમતિશેખર વિજય વડે ભાદરવા વદ-૭, ૨૦૬૭ સુરેન્દ્રનગર મુકામે આરાધના ભવન મહાવીર સ્વામી જૈન દેરાસરના સાનિધ્યમાં પૂર્ણ કરાયું.