________________
અભયકુમાર ચરિત્ર
૨૬૪ પ્રતિમા છે એમ બોલતા દેવે પ્રત્યક્ષ થઈને તે પેટી વહાણના સ્વામીને આપી અને કહ્યું : ૨૭. હે મહાભાગ ! સુખપૂર્વક સમુદ્રને તરી જઈશ અને સિંધુ સૌવીર દેશમાં વીતભય નગરમાં જજે. ૨૮. ચાર રસ્તા પર જઈને તું મોટેથી આ પ્રમાણે ઘોષણા કરજે – હે લોકો! આ દેવાધિદેવની પ્રતિમાને લો, લો. ર૯. એમ કહીને દેવ અદશ્ય થયો. જેમ સન્મતિ શાસ્ત્રાતિને પામે તેમ પ્રતિમાના પ્રભાવથી વહાણ પણ જલદીથી કિનારે પહોંચ્યું. ૩૦. વીતભય નગરમાં જઈને તે દેવસંપુટને (પેટીને) આગળ સ્થાપીને સાંયોગિક વણિકે તે જ પ્રમાણે ઘણી ઘોષણા કરી. ૩૧. તાપસભક્ત ઉદાયન રાજા, તાપસો, પરિવ્રાજકો, બ્રાહ્મણો અને બીજા પણ આવ્યા. ૩ર.
લોકે પોતપોતાના વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ અથવા બીજા કોઈ દેવનું સ્મરણ કરીને પેટી ઉપર કુહાડાના ઘા માર્યા. ૩૩. તે આ પ્રમાણે- હાથમાં રુદ્રાક્ષની માળા અને કુંડિકાને ધારણ કરનાર, સાવિત્રિકાના પતિ, હિંસારૂઢ, ચતુર્મુખ બ્રહ્મા પોતાનું દર્શન આપે. ૩૪. પૃથ્વીને ઊંચકનાર (કોટી શિલાને ઉખાડનાર), કંસ વગેરેનો ઘાતી, લક્ષ્મીનો પતિ, સમુદ્ર ઉપર સુનાર કૃષ્ણદેવ અમને પોતાનું દર્શન આપો. ૩૫. પોતાના તીર્થનો નાશ થતા પૃથ્વી ઉપર અવતરનાર, કરુણાના ધામ, બુદ્ધદેવ અમને દર્શન આપે. ૩૭. એમ કહીને તીક્ષ્ણ પણ કુહાડાઓથી ફડાતી હોવા છતાં વજના દાબડાની જેમ પેટી જરા પણ ન ભૂદાઈ. ૩૮. ઉલટાનું ત્યારે જેમ પર્વતને મારતા હાથીનાં દાંત ભાંગે તેમ મજબૂત લોખંડના કુહાડા પણ ભાંગી ગયા. ૩૯. જો લાગે તો કુહાડી નહીંતર દાંડો અર્થાત્ લાગે તો તીર નહીં તો તુક્કો એમ સમજીને જાણે પ્રહાર કર્યો તે લોક વિલખો થયો. ૪૦. ત્યારે આશ્ચર્યને જોતા રાજાને સવારથી માંડીને બપોર થઈ. સમય કોઈની રાહ જોતો નથી. ૪૧. રે રે મૂર્ખાઓ! તમે અત્યંત ઉલટી મતિવાળા છો. ત્રણ જગતને નમસ્કારણીય દેવાધિદેવને જનમાં સામાન્ય કુદેવનું સ્મરણ કરીને દર્શનની વાંછા કરો છો એટલે જ જાણે સૂર્ય ત્યારે રોષથી ઘણાં તાપને વરસાવવા લાગ્યો. ૪૩.
અહો! આ ભોજનવેળા વીતી ગઈ એમ જાણીને પ્રભાવતીએ ભોજનના હેતુથી દાસીને રાજાની પાસે મોકલાવી. ૪૪. આશ્ચર્ય બતાવવા માટે રાજાએ રાણીને ત્યાં બોલાવી. અવગ્રહનું ઉલ્લંઘન (મર્યાદાનો ભંગ) કરી ગયેલા સ્નેહની ગતિ આવા પ્રકારની છે. ૪૫. રાજાએ તેનો સર્વ વૃત્તાંત પ્રભાવતીને કહ્યો. અથવા આવા પ્રકારની સ્ત્રીને કહેવું ઉચિત છે. ૪. પરમ શ્રાવિકા પ્રભાવતીએ ઉદાયન રાજાને કહ્યું છે પ્રિય! બ્રહ્મા વગેરે દેવાધિદેવ નથી. જેમ છ ખંડ પૃથ્વીનો નેતા ચક્રવર્તી જ હોય છે તેમ એક અરિહંત જિનેશ્વર દેવ જ દેવાધિદેવ છે. ૪૮, તેથી આ ચંદનની પેટીમાં ભવનપ્રભ દેવાધિદેવ જિનેશ્વરની પ્રતિમા છે. ૪૯. તેથી બ્રહ્માદિનું સ્મરણ કરનારાઓને પોતાનું દર્શન કરાવતા નથી. બીજાના નામથી બોલાવાતો મનુષ્ય પણ જવાબ આપતો નથી. ૫૦. આ લોક સાવધાન થાઓ. જિનેશ્વરના નામના સ્મરણથી હું તરત જ અરિહંત પ્રભુની પ્રતિમાને બતાવું છું. ૫૧. લોક એકતાન થયે છતે ગૂઢ સાંધાને શોધી કાઢવા પ્રભાવતીએ યક્ષ કર્દમ (પ્રભુની પૂજા કરવા માટે ચંદન કેસર કસ્તૂરી વગેરેનો) લેપનું પેટી ઉપર સિંચન કર્યુ. પર. પછી પુષ્પાંજલિ મૂકીને, નમીને, અંજલિ જોડીને કુદષ્ટિવાળાઓના મદને ભાંગતી પ્રભાવતી આ પ્રમાણે
સ્તવના કરવા લાગી. પ૩. હે વીતરાગી પ્રભુ ! હે વીતષી પ્રભુ! હે વીતમોહી પ્રભુ ! હે જિનેશ્વર દેવાધિદેવ સર્વજ્ઞ! તું મને પોતાનું દર્શન આપ. ૫૪. એમ સ્તવના કરી કે તુરત જ ચાવીથી તાળું ખૂલે તેમા પેટી ખુલ્લી ગઈ. ૫૫. જેમ શક્તિના પટમાંથી મોતી નીકળે તેમ ગોશીર્ષ ચંદનની બનાવેલી અને નહીં કરમાયેલી શ્રેષ્ઠ પ્રતિમા અંદરથી પ્રકટ થઈ. ૫૬. અહો ! ત્રણ જગતના સ્વામી દેવાધિદેવ અરિહંત