________________
અભયકુમાર ચરિત્ર
૨૫૪ સ્મરણ સુકુલમાં ઉત્પત્તિ સ્વરૂપ સ્વર્ગનો હેતુ બને છે. ૪૪. પરમેષ્ઠી નમસ્કારના પ્રભાવથી જ જીવો નિત્ય સુખને આપનારી સિદ્ધિને પ્રાપ્ત કરશે, પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરી છે. ૪૫. ભરત-ઐરાવત અને મહાવિદેહમાં જન્મેલા ઉત્તમ મનુષ્યો સિદ્ધિ સુખ આપનાર આ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે. ૪૬. જે મનુષ્ય ભાવથી નમસ્કાર મહામંત્રનો એકલાખવાર જાપ કરે છે અને જે સંઘને પૂજે છે તે તીર્થકર થાય છે. ૪૭. જો નમસ્કાર મંત્ર ઉપર બહુમાન ન હોય તો લાંબા સમય સુધી તપેલું તપ, ઘણું ભણેલું શ્રત અને આધેલું ચારિત્ર નિષ્ફળ બને છે. ૪૮. આ નમસ્કાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે તેથી બુદ્ધિમાનો આ નમસ્કારમાં પ્રયત્ન કરે છે. ૪૯. અંત સમયે આનું વિશેષથી ધ્યાન કરવું જોઈએ કારણ કે આ અવસ્થામાં આ જ શ્રેષ્ઠ શસ્ત્ર છે. ૫૦. જેમ ઘર સળગે છતે તેનો માલિક બીજા વિભવને છોડીને વિપત્તિનો વિસ્તાર કરવામાં સમર્થ એક રત્નને ગ્રહણ કરે છે. ૫૧. અથવા તો યુદ્ધમાં દુર્જય શત્રુને જીતવા માટે સુભટ એક અમોઘ શસ્ત્રને ગ્રહણ કરે છે. પર. એમ મરણ સમયે ચૌદપૂર્વધરો પણ સર્વ શ્રુતનું પરાવર્તન કરવા સમર્થ થતા નથી. ૫૩. આ ચૌદપૂર્વીઓ દ્વાદશાંગીને છોડીને નમસ્કાર મંત્રમાં લીન થઈને તેનું ચિંતન કરે છે. ૫૪. પદ્માસનમાં બેસી યોગમુદ્રાથી હાથ જોડીને સંપદાથી યુક્ત નમસ્કાર મંત્રને ભવિક જીવ સ્વયં ગણે છે. પ૫. ઉત્સર્ગથી નમસ્કાર ગણવામાં આ વિધિ છે. સંપૂર્ણ નમસ્કાર ગણવામાં સમર્થ ન હોય ત્યારે દરેક પરમેષ્ઠીપદનો પ્રથમ અક્ષર અસિઆઉસાનું ધીમેથી ધ્યાન કરવું જોઈએ. હવે આ પણ સમર્થ ન બને ત્યારે ફક્ત ૐ નું ચિંતવન કરે. પ૭. આ 38 પદની વ્યુત્પત્તિથી અરિહંતો, અશરીરી (સિદ્ધો) આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિઓ સંગૃહિત કરાયા છે. ૫૮. કુંઠિત થયેલી વાણીથી અથવા ગાઢ ગ્લાનીથી જો % પદને ગણવા સમર્થ ન બને તો ત્યારે આ કરે. ૫૯. ભાવથી યુક્ત તે સારા કલ્યાણ મિત્ર વડે આદરથી મધુર સ્વરે બોલાતા નમસ્કાર મહામંત્રને સાંભળે. ૬૦. જે મહાત્મા અંતકાળે નમસ્કાર મહામંત્રને પ્રાપ્ત કરે તેણે સુખને હાથમાં લીધું અને દુઃખને તિલાંજલિ આપી. ૬૧. મોટું ભાગ્ય હોય તો જ મરણ સમયે નમસ્કાર મહામંત્ર પ્રાપ્ત કરાય છે. સમુદ્રમાં ડૂબતા કયા જીવના હાથમાં નૌકાની પ્રાપ્તિ થાય? દ૨. આ નમસ્કાર મંત્ર પિતા છે, માતા છે, બહેન છે, બાંધવ (સ્વજન) છે, ભાઈ છે, આજ પરમ મિત્ર છે, આ જ ઉપકારક છે, સમસ્ત મંગલમાં આ જ પ્રથમ મંગલ છે. આનું નિત્ય ધ્યાન કરવામાં તત્પર પ્રાણી પણ મંગલ છે. ૬૪. તેથી પોતાનું પરમ કલ્યાણને વાંછતા ભવ્ય જીવોએ હંમેશા બહુ આદરપૂર્વક પંચ નમસ્કારના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ. ૫. પ્રભુની દેશનાથી લોકો નમસ્કારમાં રત થયા. જિનેશ્વરોનો ઉપદેશ હંમેશા સફળ જ થાય છે. દ૬. આ પ્રમાણે દિવસે દિવસે ભગવાનના મુખથી ધર્મ સાંભળતા પરમાનંદને ધારણ કરતા પ્રાણીઓ બોધને પામે છે. ૬૭.
બીજા દિવસે જિનેશ્વરને નમીને બુદ્ધિમાન અભયે મધુરવાણીથી આત્મસિદ્ધિના સારવાળી સ્તવન કરવાનો આરંભ કર્યો. ૬૮. હે પ્રભુ! તારી આજ્ઞાની બહાર રહેલા જીવો આકાશ પુષ્પની જેમ જીવ નથી એમ બોલે છે કેમકે આત્મા પ્રમાણનો વિષય બનતો નથી. ૬૯. આ આત્મા પુરુષસ્ત્રી, બળદ, ઊંટ, ઘોડા, હાથી વગેરેની જેમ કયારેય ક્યાંય કોઈ વડે પ્રત્યક્ષથી ગ્રહણ કરાતો નથી. કહેવાનો ભાવ એ છે કે પાંચ ઈન્દ્રિય અને મનથી પુરુષવર્ગને જાણી શકાય છે તેમ આત્મા જાણી શકાતો નથી. ૭૦. અનુમાનથી આ આત્મા જાણી શકાતો નથી કારણ કે સાધ્યની સાથે અવિનાભાવ (વ્યાપ્તિ) સંબંધ ધરાવતું લિંગ કયાંય જોવાયેલું હોય તો અનુમાન પ્રવર્તે નહીંતર અનુમાન પણ ન થાય. ૭૧. આત્મારૂપ સાધ્યની સાથે કોઈ લિંગ જોવાતું નથી. તેની સમાન કયાંય પ્રસિદ્ધિ નથી જેનાથી ઉપમાન થઈ શકે અર્થાત્ ઉપમાન પ્રમાણથી