________________
સ –૯
૨૧૫ ગાઢ આશ્ચર્ય પામેલી તેણીએ સાક્ષાત્ જાણે દારિદ્રયના કંદોને ભાંગતી હોય તેમ બીજા લાડુઓને ભાંગ્યા. ૮. જેમ નાળીયેરમાં ગોટો નીકળે તેમ દરેક લાડુમાંથી એકેક રત્ન નીકળ્યું. ૯. તેણીએ કૃતપુણ્યને પુછ્યું: હે સ્વામિન્ ! ચોરના ભયથી રત્નોને ગોદડીમાં સીવી દે તેમ તમે શું લાડુમાં નાખી દીધા. ૧૦. હે જીવેશ! મારા બધા આભૂષણો અને હજાર સુવર્ણને કેમ ન વાપર્યા? ૧૧. ગાંભીર્યના ભંડાર આણે કહ્યું : હા ચોરના ભયથી મેં રત્નો છુપાવી રાખ્યા હતા. હે પ્રિયા માર્ગો વિષમ હતા. ૧૨. હે શીલશાલિની! જો બીજી રીતે ધન ઉપાર્જન થતું હોય તો આભૂષણો વગેરે વટાવવાની શું જરૂર છે? ૧૭. હે પ્રિયા ! બીજા આભૂષણો કરાવવા કરતા તો આ જુના દાગીના ન વેચવા સારા કારણ કે આને વેંચીને ફરી બીજા કરાવવા જઈએ તો સોનીનું ઘર ભરાય અર્થાત્ તેને જ લાભ થાય. (જુના આભૂષણની મજૂરી જાય અને નવા આભૂષણની મજૂરી આપવી પડે.) ૧૪.
જયશ્રી બોલીઃ હે નાથ ! મેં એક લાડુ પુત્રને આપ્યો હતો. તેમાં મણિ હોવો જોઈએ એમ હું ધારું છું. ૧૫. કૃતપુણ્ય જાણતો હતો છતાં જયશ્રીને કહ્યું ઃ લાડુમાં મણિ હતો કે નહિ એમાં શું પૂછવાનું હોય? જેમ કૃષ્ણની છાતીમાં કૌસ્તુભમણિ હતો તેમ લાડુમાં નક્કીથી મણિ હતો જ.૧૬. હે પ્રિયા! તે સારું ન કર્યું. તેથી પુત્રને જલદીથી પૂછ કે તેણે ક્યાં રાખ્યું છે? આમાં શંકા શું હોય? ૧૭. તત્ક્ષણ પુત્રને બોલાવીને જયશ્રીએ પુછ્યું : હે વત્સ! સાચું બોલ લાડુમાં નીકળેલા મણિને ક્યાં રાખ્યો છે? ૧૮. હે વત્સ, તને લાડ, સેવ અને ગોળધાણા આપીશ માટે તું સાચું બોલી જા. ૧૯. ઘણાં ખુશ થયેલ પુત્રે સાચું જણાવ્યું કે હે માતરૂ! મણિના બદલામાં મેં કંદોઈ પાસે વડા લીધા છે. ૨૦. કૃતપુણ્યનો પુત્ર અતિ શીઘ્રતાથી પિતાને કંદોઈની દુકાને લઈ ગયો. ભોજનની લાલચ આપીને બાળકો પાસે કામ કઢાવી શકાય છે. ૨૧. કૃતપુણ્ય કંદોઈની સાથે ઝગડો કર્યો. અરે! કંદોઈ મારા પુત્રે તારી પાસેથી વડા લીધા છે તેની કિંમત લઈને મને મણિ પાછો આપ. વાણિયાઓ અધિક લાભને જવા દેવા ઈચ્છતા નથી. ૨૩. કંદોઈએ કહ્યું : હે શ્રેષ્ઠિનું ! તમે જરાય સારું બોલતા નથી. તમારા પુત્રે સામે આવીને મારી પાસે વડા માગ્યા છે. વડા આપીને મેં રત્ન લીધું છે એમને એમ નથી લીધું. તમે શું કિંમતી કરિયાણા ઓછા ભાવમાં પડાવી લેતા નથી ? ૨૫. હે વાણિયાના શિરોમણિ ! તું જા હું મણિ નહીં આપું. કૃતપુણ્ય કહ્યું હું મણિ લઈને જઈશ એમને એમ નહિ. ૨૬. એમ વિવાદ કરતા તે બે રાજકુલમાં ગયા. રાજકુળમાં ગયા વિના શું ઝઘડાનો અંત આવે? ૨૭. તે બંનેએ ત્યારે જાણે કે રાજાની ચિંતારૂપી શાકિનીને ભગાડવા માટે મંત્ર ન હોય તેવું પોતાના વિવાદનું કારણ રાજાને જણાવ્યું. ૨૮. અરે કંદોઈ ! આના પુત્રને આપેલી વસ્તુની કિંમત લઈને તું કૃતપુણ્યને મણિ ક્ષણથી આપી દે. ર૯. એમ રાજાએ કંદોઈ પાસેથી રત્ન કૃતપુણ્યને અપાવ્યું. અથવા બધા પણ મોટું જોઈને તિલક કરે છે. ૩૦. અને વિચાર્યું કે આ મણિનો સ્વામી થયો તે સારું થયું. ચંદ્ર અમૃતનો આધાર છે. ૩૧. અમે આ પુત્રીને મોટી કરીને સંકટમાંથી કેવી રીતે છૂટશું એવી ચિંતા હતી તે કંદોઈને બદલે કૃતપુણ્ય ઉતમ વર પ્રાપ્ત થવાથી તે ચિંતા પૂરી થઈ. ૩૨. નક્કીથી તેમાં પુત્રીનું ભાગ્ય જાગે છે અથવા સર્વ પણ આ લોક પોતાના પુણ્યોથી જીવે છે. ૩૩. એમ રાજાએ હર્ષથી કૃતપુણ્યને એક હજાર ગામ આપીને શુભ દિવસે મનોરમા નામની પુત્રી પરણાવી. ૩૪.
તે વખતે દેવદત્તા વેશ્યાએ જાણ્યું કે કૃતપુણ્ય ઐશ્વર્યને પામ્યો છે લક્ષ્મી કોની પ્રસિદ્ધિ નથી કરતી? ૩૫. ત્યારે જાણે સાક્ષાત્ માયાની પેટી ન હોય તેમ શ્યામ અને વાંકડિયા વાળને ધારણ કરતી દેવદત્તાએ વાળની વેણી બાંધી. ૩૬. જેમ દંતવાણિજક હાથી દાંતને ઘસીને ઉજળા કરે તેમ દેવદત્તા વેશ્યાએ સતત