________________
પૂજ્ય મુનિશ્રી - વિનયવિજયજીનું જન્મચરિત્ર. સૂ
-- આ ગ્રંથના લેખક સાહિત્યપ્રેમી મુનિશ્રી વિનયવિજયજી મહારાજજીના પ્રથમ ભાગમાં છપાયેલા
જન્મચરિત્રમાં વધારે.
આવા મુનિશ્રીનું અનુકરણ કરવાની જરૂર
अनुष्टुप्. . क्षमातुल्यं तपो नास्ति, न सन्तोषात्परं सुखम् ।
न च तृष्णापरो व्याधिविनयानो परो मुनिः ॥ ક્ષમાતુલ્ય તપ નથી, સંતેષવિના ઉમદું સુખ નથી, તૃષ્ણા સિવાય અન્ય વ્યાધિ નથી કે તે પ્રમાણે વિનયવિજયજી જેવા (સાહિત્યપ્રેમી તથા પ્રભુપદગામી) ભવ્ય થોડા જેવામાં આવે છે.
ઉક્ત મુનિશ્રીએ જામનગરમાં ૧૯૭૨ ની સાલના ચાતુર્માસમાં દર રવિવારે જૈન તથા જૈનેતર પ્રજામાં અનેક ભિન્ન ભિન્ન અને ઉપયોગી વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપી પ્રજાવર્ગને ધર્મસંબંધી ઉંડી અને સચોટ, લાગણી ઉત્પન્ન કરી છે.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને ભાગ પહેલે છપાઈ બહાર પડવાથી બીજે ભાગ છપાવવાની અનેક સ્થાનકેથી સટીફીકેટ સાથે વિનતિપૂર્વક વારંવાર માગણું આવવાથીં વ્યાખ્યાન સાહિત્યસંગ્રહને બીજો ભાગ ઉક્ત મુનિશ્રીના ઉપદેશથી છપાવવા સંબંધી ગોઠવણ કરવામાં આવી આ પ્રસંગે સાહિત્યપ્રકાશક મંડળ, “સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના અને સંસ્કૃત પુસ્તસંશોધન માટે ખાસ પંડિત તથા મદદગાર લહીઓની નિમણુક કરવામાં : આવી છે.