________________
૧૭.
બીજા ગામની હદમાં છે એટલે ત્યાં પાણી ભરવા જતાં ઝઘડા પણ થાય. કારણ કે એ ગામમાં પણ એ એક જ કુવામાં પાણી છે.” તે પછી તે એ ભાઈએ દિલાવરને અનાજની પરિસ્થિતિ પૂછી. તેણે કહ્યું, “ભાઈ, ગામમાં તે અનાજ નથી, પણ બાજુના ગામમાં સસ્તા, અનાજની દુકાન છે. ત્યાં લેવા જવું પડે છે. કેઈ વખત ત્યાં પણ અનાજ ન હોય ત્યારે ઘરમાં બે-ત્રણ દિવસ રેશનિંગ કરી નાંખીએ.. એટલે કે દિવસમાં એક જ ટંક ખાઈને ચલાવી લઈએ.”
પછી ખેતીની હાલત પૂછી. તેણે કહ્યું, “કૂવાઓમાં પાણી તે. છે નહીં. પણ જે ચેમાસું સારું જાય તે ચોમાસાને એક પાક લઈ શકાય, પણ ન મળે બળદ, ન મળે ખાતર. પછી પૂરે પાક કયાંથી ઊતરે? એટલે જ તે ઘરડાં મા-બાપને મૂકીને અહીં મજૂરી માટે આવવું પડ્યું છે અને આ ગંદી ઝૂપડપટ્ટીમાં રહેવું પડે છે ને?”
અરે, દિલાવર ! તારા બાપ-દાદા પણ અહીં મજૂરીએ આવતા. ખરા કે?” જવાબ મળે, “ના ભાઈ ! ત્યારે તે ભાઈ પુષ્કળ અનાજ-પાણી હતાં. ગામના લુહાર, સુતાર, કુંભાર, વણકર, હરિજન. વગેરેના ધંધા ધમધોકાર ચાલતા. હવે એ બધું બંધ થઈ ગયું. . “ભાઈ ! વર્ષો પહેલાં ગામમાં ઘી, દૂધ પુષ્કળ મળતાં કારણ કે ગામમાં પુષ્કળ ગાય, ભેસે હતી. હવે તે પાણી પણ નહિ અને ખેતી, પણ નહિ, પછી પશુઓને શું ખવડાવીએ? એટલે દૂધનું તે ટીપુંય. મળતું નથી. બાજુના ગામમાં ચેડી ગાયે છે પણ તેમનું દૂધ ડેરીવાળાએ લઈ જાય છે. ગરીબ માણસે પૈસાની ખેંચમાં જ રહેતા. હોય. એટલે આવી મેંઘારતમાં જે કાંઈ થોડું ઘણું દુધ તેમની ગા. આપે તે પિતાનાં બાળકોને ન આપતાં ડેરીવાળાઓને વેચી નાખે.” - બિચારે દિલાવર! એને ક્યાંથી ખબર હોય કે આ સમૂળી. કાંતિ, અંગ્રેજોએ તૈયાર કરીને ચાવીરૂપ સ્થાને મૂકી ગયેલા તેમના નિષ્ણાત મિત્રએ જ કરી બતાવી છે.
શ્રી જયપ્રકાશજી તે હજી સમૂળી કાતિનાં સ્વપ્ન જ જુએ છે.. હજી તેનું માળખું બાંધી શકતા નથી!
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org