________________
૧૬૧ જ્યારે કતલખાને કપાય ત્યારે તેની આવક કતલખાનાના શ્રીમંત માલિક અને શ્રીમંત નિકાસકારને થાય છે. પણ જે તે દૂર ગામડાં કે ખેતરના કઈ ખૂણામાં કુદરતી મોતે મરે તે તેની તમામ આવક એક ગરીબ હરિજન કુટુંબને મળે છે. - તેના માંસમાંથી ખાસ ગણનાપાત્ર આવક થતી નથી. કારણ કે ભારતમાં માંસાહારીઓ મોટે ભાગે ઘેટાં, બકરાંનું માંસ પસંદ કરે છે, મધ્યપૂર્વના આરબે ઘેટાંનું માંસ પસંદ કરે છે અને યુરોપ-અમેરિકામાં જ ગાયનું માંસ (best) મેટા પ્રમાણમાં વપરાય છે. આપણે ત્યાં તેની માંગ જૂજ હેવાને કારણે તેને ભાવ ઘેટાં-બકરાંના માંસના ભાવ કરતાં ત્રીજા ભાગને મળે છે. વૃદ્ધ બળદનું માંસ નિકાસ કરે તે યુરોપ-અમેરિકામાં પણ તેની ખપત બહુ નહિ થાય. કારણ કે ત્યાં યુવાન ગાયના માંસની અને નાના વાછડાના માંસની જ માંગ હોય છે. તે માટે તેઓ પાંચથી છ વર્ષની યુવાન ગાયને માંસ–ગાય તરીકે ઉછેરે છે. (જેમ અગાઉ વિષકન્યાએ તૈયાર કરાતી તે પ્રમાણે) આવી ગાને પુષ્કળ કઠોળ, બીજાં અનાજ અને અમુક દવાઓ ખવડાવીને ખૂબ જાડી કરે છે અને પછી મારી નાખે છે. આપણા વૃદ્ધ બળદોને તેમની ઉંમરના કારણે માંસ-બળદ તરીકે પણ ઉછેરી શકાશે નહિ. એવું દુઃસાહસ કરવા જતાં કઠોળ અને અનાજની ખેંચ વધી પડશે. કારણ કે પશુને જ્યારે ૧૪ પાઉન્ડ અનાજ અને કઠોળ ખવડાવીએ ત્યારે એક પાઉન્ડ માંસ તેમના શરીરમાં બંધાય.
વૃદ્ધ બળદોની કતલથી
તેમાં છાણ-મૂતરનું કારણું નુકસાન સુપ્રીમ કોર્ટમાં રાજ્ય અને કસાઈઓ વચ્ચેના કેસમાં જે આંકડા માન્ય કરાયા હતા, તેના આધારે હાલમાં ૩૨,૫૧,૦૦૦ બળદો કામ ન કરી શકે એવા છે. એમને નકામા (useless) ગણીને કાયદા પ્રમાણે કતલ કરવાની છૂટ મળી છે. પણ તેનું પરિણામ એ આવે કે આપણે - ૧ કરોડ ૨૦ લાખ ટન છાણ અને ૪૮ લાખ ટન મૂતર ગુમાવીએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org