________________
રપર મનાતી. તે પછી સમગ્ર ભારતની નહિ પણ માત્ર કૌરવ અને પાંડ વિના મિત્રરાજાઓની જ ૩ર લાખ ક્ષત્રિની બનેલી સેના યુદ્ધમાં આવે તે જરૂર ભારતની વસ્તી તે વખતે પણ ગણનાપાત્ર મેટી હેવી જોઈએ.
ઈ. સ.ના અગિયારમા સૈકાની શરૂઆતમાં ગુજરાતના ભીમદેવનું સૈન્ય એક લાખ ઘોડેસવાર, નેવું હજાર પાયદળ અને બસે હાથીઓનું બનેલું હતું (મુસ્લિમ તવારીખકાર સુરખી). તે સમયનું ગુજરાત આજના ગુજરાતથી ઘણું નાનું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર, લાટ એ તમામ જે આજે ગુજરાતમાં છે, તે, તે સમયે અલગ સ્વતંત્ર રાજ્ય હતાં. અને જૂનાગઢના રા' પાસે દેઢ લાખનું તેમ જ કચ્છના રા” લાખા કુલાર્ણ પાસે ૬૦ હજારનાં લકર હતાં. આવડાં મોટાં સૈન્ય ઓછી . વસ્તીમાંથી ઉદ્ભવી શકે નહિ.
ગુજરેશ્વર કુમારપાળ જ્યારે ભારતના અનેક રાજાઓને હરાવીને પાટણ પાછો ફર્યો ત્યારે તેના સૈન્યમાં ૧૧ લાખ ડેસ્વાર, ૧૮ લાખ પાયદળ, ૫,૦૦૦ રથ અને ૧,૧૦૦ હાથી હતા (કુમારપાળ પ્રબંધ, પાન ૨૮૫).
આઈને અકબરી'માં ઉલ્લેખ છે કે “ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદાજુદા રાજવીઓ અને ઠાકોરે પાસે બધું મળીને ૬૫,૦૦૦ ઘોડેસ્વાર અને ૧૨,૧૭,૦૦૦નું પાયદળ લશ્કર હતું. તે સમયના વસ્તીપત્રક આજે ઉપલબ્ધ ન હોય, પણ, આ લોકોની સંખ્યા બતાવે છે કે તે સમયે પણ વસ્તી ઓછી ન હતી. પણ તે ગામડાં એમાં વહેંચાઈ ગએલી હવાથી નજરે ચડતી ન હતી.
પાણીપતના ત્રીજા યુદ્ધમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને અધ્યાના રાજ્ય મુખ્ય પક્ષકાર હતા. તેમનું સૈન્ય પાંચ લાખનું -હતું. તે ઉપરાંત આંતરિક સલામતી માટે પણ તે રાજ્યએ બીજું સૈિન્ય તિપિતાનાં રાજ્યમાં રાખ્યું હતું. મરાઠાઓ જ્યારે ભીડમાં આવ્યા ત્યારે બીજુ બે લાખનું સૈન્ય લઈને બાજીરાવ પેશ્વા તેમની મદદે જવા નીકળ્યું હતું. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org