________________
ર૭૯
ઢાંચ એ જ છે કુટુંબનિયે જનને કુટુંબકલ્યાણ નામ આપવું એ કેગ્રેસની જૂની રીત-રસમનું અનુકરણ છે. લેકે જ્યારે જ્યારે દુકાળમાં ભૂખથી મર્યા છે, ત્યારે ત્યારે કેગ્રેસી સરકારે એ બચાવ કર્યો છે કે લેકે ભૂખથી નથી મર્યા પણ પિષણના અભાવે મર્યા છે. આવા બચાવની પાછળ ભયાનક નિષ્ફળતાનાં જ દર્શન થતાં હોય છે. મરનારાઓને ખાવા અનાજ ન મળ્યું ત્યારે તેમને પિષણ અભાવ અનુભવો પડ્યો એ તદ્દન સમજાય તેવી વાત છે.
કહેબકલ્યાણ કેને કહેશે? - શ્રી રાજનારાયણ કુટુંબ કલ્યાણ કેને કહે છે? નાનું કુટુંબ, એ વ્યાખ્યા સ્વીકારીએ તે બે બાળકવાળા કુટુંબ કરતાં બાળક વિનાનું કુટુંબ વધુ સુખી અને બાળક વિનાના કુટુંબ કરતાં પણ અપરિણીત રહેલી વ્યક્તિઓ વધુ સુખી ગણાય ને? લગ્નસંસ્થાને ભાંગીને ભૂકે કરી નાખ્યા પછી સમાજ એ સહુથી સુખી સમાજ. કારણ કે વ્યક્તિને એના પિતાના સુખસગવડ સિવાય કોઈ જવાબદારી જ નહિ. શું આવી વ્યવસ્થાને શ્રી રાજનારાયણ કુટુંબકલ્યાણ-વ્યવસ્થા માને છે!
ખરેખર કટુંબકલ્યાણ કરવું છે? કુટુંબ કલ્યાણ-વ્યવસ્થા તેને જ કહી શકાય, જ્યાં કુટુંબના સભ્યની ગણતરીને ખ્યાલ રાખ્યા વિના જ દરેક કુટુંબને રહેવા માટે સગવડવાળું (ભલે તે નાનું હોય) મકાન હોય; પાણીની પૂરી સગવડતા હોય, સતું પૌષ્ટિક અનાજ સહેલાઈથી મળી શકતું હોય, પિષણ માટે શુદ્ધ ઘી અને તાજુ દૂધ સસ્તામાં સસ્તાભાવે મળી શકતું હોય; દરેકને પહેરવા પૂરતાં કપડાં મળતાં હોય, એવી કેળવણું મફત મળતી હોય કે જે જીવનને સુખ, શાંતિ અને ક્ષલક્ષી બનાવે, દરેક તિપિતાના વડીલોપાર્જિત ધંધા, વિના અવરોધે કરી શકતા હોય અને ઓછામાં ઓછું કરભારણ હોય. આ સ્થિતિ લાવવી એને જ કુટુંબકલ્યાણની યેજના કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org