________________
REC
મેં તેમને એક વહેવારુ સૂચના પત્ર દ્વારા કરી હતી, કે સહુ પહેલાં વસ્તીવધારો ખરેખર છે કે ગામડાંઓની શહેર તરફની હિજરતે વસ્તીવધારાની ભ્રમણા પેદા કરી છે તેની ચાકસાઈ કરી. તે માટે દરેક જિલ્લાનાં દૂરનાં દશવીસ નાનાં ગામડાંઓની વસ્તીની અદાલતી તપાસ દ્વારા ચેાકસાઈ કરાવે અને એ ગામડાંઓની વસ્તી સંખ્યા સેન્સસના રજિસ્ટરમાં દેખાડાએલી વસ્તી જેટલી છે કે આછી છે તેની ચાકસાઇ કરાવે અને જો વસ્તી ઓછી દેખાય તે કુટુંબનિયેાજનના સિદ્ધાંતના જ ઈન્કાર કરી.”
ખીજી સૂચના એ હતી કે, “જો વસતીવધારી જણાય તે તે માંસાહારી, મસ્ત્યાહારી પ્રજામાં વધારે છે કે નિરામિષાહારી પ્રામાં, અને આધુનિક ઉદ્યોગીકરણ થએલા વિસ્તારમાં વધારે છે કે બિનઔદ્યોગિક વિસ્તારામાં ?
અને જો વસતીવધારાને માંસાહાર, મસ્ત્યાહાર અને આધુનિક ઉદ્યોગીકરણ સાથે સબંધ હાવાનુ સિદ્ધ થાય તે ખેારાક ક્ષેત્રે તેમ જ ઔદ્યોગિક ક્ષેત્રે નીતિ બદલીને ભારતીય સ ંસ્કૃતિના ઢાંચામાં એ નીતિને મર્યાદિત કરે.”
1
સંભવ છે કે મારે પત્ર વાંચ્યા પછી તેમણે શ્રી તુલસી રામા યણની બેચાર ચાપાઈએ ગઇ લીધી હશે, પણ એ સૂચના ઉપર ધ્યાન આપ્યું હોય એમ જણાતું નથી.
એ જાહેરાતના કરો! અ તથી કુટુંબનિયોજન માટે તેઓ બળજબરી નહિ કરે પણ સમજાવટનાં પગલાં લેશે, એવી જાહેરાતને કશે અર્થ નથી. સમજાવટ એટલે આડકતરું દબાણ અને લાંચ-રૂશ્વતનાં પગલાં, એવા જ અથ થાય છે. અને કાલે તે સત્તા ઉપર ન હોય અને કોઈ સવાઈ સજય જેવી વ્યક્તિ સત્તા ઉપર આવે અથવા પરદેશી સત્તાએનું દબાણ કઇ રાષ્ટ્રીય કટોકટી વખતે વધી જાય તે વખતે ફરીથી નાદીરશાહી પગલાં દ્વારા કુટુંબવિયેાજનની પ્રવૃત્તિ આગળ નહિ વધે એવી બાંયધરી કોઈ આપી શકે શહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org