________________
ર૩૬ મિલમાલિક કોઈ આ બંદીમાંથી મુક્ત નથી. દારૂબંધી એ આજને સૌથી મોટો પ્રશ્ન છે. પ્રધાને જ આમાં સવાયા હોય ત્યાં શું થાય?”
* જનતા સરકાર પણ ગાંધીજીની ઠેકડી ઉડાવે છે - જનતા સરકારે સત્તા ગ્રહણ કર્યા પહેલાં જ્યારે ગાંધીજીના સમાધિસ્થળે ગાંધીમાર્ગે જવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે ભારતના ઉદ્યોગપતિઓ પ્રજવળી ઊડ્યા હતા. સરકાર સામે તેઓ અખબારોમાં પુયપ્રદેપ ઠાલવવા લાગ્યા હતા. પણ ગાંધીમાર્ગે ચાલવાના શપથ - લીધા પછી ફરીથી માત્ર સમગ્ર દેશમાં દારૂબંધી કરવાની જ વાત પ્રસારવામાં આવી.
ગાંધીજીના જીવનકાર્યોમાંનાં તમામ કાર્યો કેલી દેવામાં આવ્યાં. સંપૂર્ણ ગોવધબંધીની માંગણી કરીથી ઠુકરાવી દેવામાં આવી. તેને -બદલે નવાં આધુનિક કતલખાનાં, મત્સ્ય-ઉદ્યોગને નામે રજની અબજો માછલી મારવાની યોજનાઓ, ઈંડાં અને ડુકકર તેમ જ ઘેટાં-બકરાંના માંસનું ઉત્પાદન વધારવાની વૈજનાઓ કરવામાં આવી. પણ, ખાદી માટે અને ગ્રામઉદ્યોગે માટે ગાંધીજીએ નક્કી કરેલી કેળવણુ માટે કશું જ કરવામાં આવ્યું નથી.
એટલે હવે ઉદ્યોગપતિઓને વિરોધ સરકારને બદલે અમુક પ્રધાને પૂરતું મર્યાદિત બની ગયા છે. દારૂબંધીની વાત છે કે -હવામાં જ છે અને તે પણ માત્ર “અમે ગાંધીમાર્ગે ચાલીએ છીએ.”
એવું લેકના મનમાં ઠસાવવા માટે. તેને માટે ચાર વરસની મુદત ઠરાવવાનું કહેવાય છે, જે સમય દરમિયાન કદાચ આ સરકાર પણ બદલાઈ ગઈ હોય.
ત્યારે પીલુ મેદી કેમ ચૂપ રહ્યા હતા? છતાં આ હવાઈ વાતને પણ હવે તે જાહેરમાં વિરોધ થવા લાગે છે. કેન્દ્ર સરકારના પ્રધાને પીએ છે. અમલદારે પણ પીએ છે. ઉદ્યોગ અને વેપારમાં તે દારૂ હવે ચલણી નાણું છે. એટલે તેમને પણ એ કેમ પરવડે? શ્રી પીલુ મોદીએ તે દારૂ પીવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org