________________
પણ ચીનમાં સન્ યાસના મૃત્યુ બાદ ફાટી નીકળેલા આંતરવિગ્રહમાં ચાર પક્ષ હતા : અમેરિકા, બ્રિટન, રશિયા અને જાપાન.
આ ચારેયની અધમતા એ બળવાન પ્રજાને ધરતી ઉપરથી નામશષ કરવા તલસતી હતી.
પણ જે ભારતમાં આંતરવિગ્રહ ફાટી નીકળશે તે તેમાં પારાવાર પક્ષે પરસ્પર લડતા હશેઃ ખેડૂત અને બિનખેડૂત, વેપારી અને ઘરાક ચીની સામ્યવાદી અને રૂસી સામ્યવાદી હિંદી ભાષાપ્રેમી અને હિંદી ભાષાવિરોધી, મજુરતરફી અને માલિકતરફી, ધર્મનિષ્ઠ અને ધર્મ-', વિરોધી વગેરે - પરદેશીઓએ ઘડીને આપેલી; અને દેશી અંગ્રેજોએ તેને અપનાવેલી આર્થિક, ઔદ્યોગિક ખેતીવિષયક અને કેળવણીવિષયક નીતિઓએ આવી પક્ષાપક્ષીની બેહાલી સજી છે.
, , ગોરાઓના શિષ્ય, કાળાઓ - બિચારા ! ચૂંટાઈને ખુરશીમાં બેઠેલા ભારતના રાજકર્તાઓ! આજેય ગેરાઓના કહ્યા મુજબ ચાલે છે. પેલે સૂત્રધાર; અને આ બધી કઠપૂતળી! જે કદાચ માથું ઊંચકે તે ખુરશી જાય... કદાચ પ્રાણ પણ જાય.
આંતરવિગ્રહની એ અગનજવાળાઓમાંથી એક પણ માણસ બચી શકનાર નથી. મોટામાં મોટો મિનિસ્ટર કે મોટામાં મોટા ઉદ્યોગપતિ કેમેરામાં મોટો દાણચાર – બધાય એમાં ભસ્મીભૂત થવાના છે. અને... બિચારી નિર્દોષ ગરીબ ભારતીય પ્રજા! એય “સૂકા ભેગું લીલું” ન્યાયે ભાળીને રાખ થશે.
આ જ્વાળાઓમાંથી બચવાને કેઈ ઉપાય છે ખરો? - ના... હવે તે વાત ઘણી આગળ વધી ગઈ છે, કોઈ ઉપાય જડતું નથી.
આ પણ જે ઘર-ઘરમાં આ અંગે ગંભીરપણે મંથન ચાલે તે જરૂર અમૃત જે કઈ ઉપાય જડી જાય ખરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org