________________
२००
શહેરમાં જવું પડે છે અને રાજના ૧૦ થી ૨૦ રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે. આ મજૂરીના પૈસા અને તેનુ વ્યાજ પણુ ઉત્પાદનખર્ચ'
ઉપર ચઢે છે.
માટા ભાગના ખેડૂત પાસે પાંચ એકરથી વધુ જમીન નથી. તેથી તેમને માલ બજારમાં ભાગ્યે જ આવે. જે ૨૦ ટકા ખેડૂત પાસે વધુ જમીન છે, તે લોકો જ ફર્ટિલાઈઝર વગેરેની લેના લઈ શકે છે. આ લાકોની લેને ભરપાઈ થઈ શકે, માટે સરકારને અનાજના ભાવ એક યા બીજા બહાનાં બતાવીને દર વર્ષે ઊંચા માંધવા પડે છે. તે ઉપરાંત હાઈબ્રીડ બિયારણથી પણ ઉત્પાદનખર્ચમાં એકરે ૪૦ થી ૫૦ના વધારા થાય છે, પણ ફર્ટિલાઇઝર તેમ જ હાઈબ્રીડના બિયારણથી જુવાર, બાજરામાં અંગટ આવે છે, અને સેકડો એકરમાં પાક ખાળી નાંખવે પડે છે. આમ, એછા ઉત્પાદન સામે ખર્ચ વધતા જાય છે અને સરકારે પેાતાના ગળામાં ફર્ટિલાઈઝરનાં કારખાનાંઓના હારડો પહેર્યા છે અને ક્રોડો રૂપિપાની લોન આપી છે; માત્ર પાતાના અને ઉદ્યોગપતિઓના માલ ખપાવવા માટે.
એટલે ૨૦ ટકા ખેડૂતાના અનાજના ભાવ નીચા જાય તે એમને પરવડતું નથી. આમ, સરકાર પાતે જ જાણ્યેઅજાણ્યે અથવા તે તેમના પરદેશીએના દેશીમિત્રોની સલાહથી સહુથી માટુ' સ્થાપિત હિત બની ગઈ છે.
હવે અનાજના ભાવ કેમ ઘટે? તે ન ઘટે તે બીજી ઔદ્યોગિક ચીજોના ભાવ પણ વધવાના જ.
સરકારે પેાતાને હાથે જ ખોટી અન્નીતિરૂપી અજગર ગળામાં નાખ્યા છે, તે ફેંકી નહિં કે તે તેનું ગળું એક દિવસ ભીસાઈ જશે.
એમાં જરા પણ શંકા નથી.
શ પ્રધાને અને સરકારી પ્રવક્તાના જાપ “ખિલ્લી બિલ્લી ભાગ જા.”
ન કાયદાથી, ધમકીથી કે અંકુશાથી ભાવા કાબૂમાં રાખી શકાતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org