________________
જેનું બળતણ અને ખાતર તરીકેનું મૂલ્ય ૧૩૦ કરોડ રૂપિયા થાય. તે પછી તેને નકામાં શી રીતે કહી શકાયાં?
. ઉપરાંત ખેતી નીચેની જમીન જે માત્ર જરૂરિયાતના ચેથા ભાગનું જ ખાતર મેળવે છે તેમાંથી ૧ કરોડ ૩૦ લાખ એકર જમીન સંપૂર્ણપણે ખાતર ગુમાવે અને ક્ષમતાથી ઘણે એ છે પાક આપે છે, તેમાં પણ વધુ ઘટાડો થાય, અથવા તે તેમાં જે સિંચાઈનાં પાણીની સગવડ હેય તે જ ફર્ટિલાઈઝર નાખી શકાય. પણ તેમ કરવા જતાં ઉત્પાદન ખર્ચમાં એકર દીઠ રૂપિયા ૩૦૦ને ખર્ચ વધી જાય અને દેશમાં દૂધ, ઘી, અનાજના ભાવ કદી પણ નીચા આવી શકે નહિ, એ ત્રણે ચીને સસ્તી ન થાય અને વિપુલ પ્રમાણમાં મળે નહિ, તે પ્રજા મલવારીની ભીંસમાંથી મુક્ત થઈ શકે નહિ.
બંધારણની ૪૮મી કલમને ઉપયોગ કરવાને બદલે જે ક્રિમિનલ લે સુધારવામાં આવે (જે સુધારવાની કેન્દ્ર સરકારને સત્તા છે અને cruelty to animalsની કલમને સુધારીને પશુને મારી નાંખવું, એ એના ઉપર ઘાતકીપણું ગુજારવા જેવું છે, તેવું ઠરાવી તેના માટે સખત સજા નક્કી કરવામાં આવે. ગાંધીજી કહેતા કે એવધ એ મનુષ્યવધ જે ગુને છે.) તે અત્યારે સુપ્રીમ કોર્ટમાં નકામા ઠરાવાયેલા છતાં ખૂબ જ ઉપયોગી અને વાર્ષિક ૧૩૦ કરોડ રૂપિયાનાં છાણ, મૂતર આપનારા અને તે દ્વારા લાખે એકર જમીનની ફળદ્રુપતા વધારી આપનારાં આ ભારે ઉપયોગી પ્રાણીઓને બચાવી શકાય અને રાષ્ટ્રની નૈતિક સાંસ્કૃતિક તેમ જ આર્થિક પ્રગતિ તરફ આગળ વધી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org