________________
૧૧૮
ચકાતાં નથી. પણ ગમે તેવી ગરમીમાં પણ આપણે નીચે જઈને ઊભા રહીએ ત્યારે આપણને જે ઠંડક લાગે છે તે ઠંડક તે પાણીના છંટકાવની હાય છે. જમીન નીચે પાણીના જથ્થા જેમ વધારે તેમ પાણી વધુ ખેંચાય છે, અને ત્યાં વધુ ઠંડક લાગે છે. ડુંગરો અને તેમના ઢોળાવ ઉપરનાં ઝાડ અને ઘાસ પણ વાતાવરણની ગરમીને શોષી લે છે.
ઉપરાંત સમગ્ર પ્રદેશમાં નાની-મોટી નદીએ પથરાયેલી હતી. જેમાં બારેમાસ પાણી રહેતું, અને એ પાણી જમીનની નીચે અમ્યાં કરતું, જેથી જમીનની નીચેના જળભડારો ભરેલાં જ રહેતા. પશુ જગલે મળતણ માટે કપાઈ ગયા.... નદીકાંઠાને વૃક્ષેાનાં મૂળ પકડી રાખતાં. ચરિયાણા પણુ નદીકાંઠાનું રક્ષણ કરતા. વૃક્ષો અને ચરિયાણા નાશ પામતાં જમીનનું રક્ષણ ચાલ્યુ. ગયુ'; નદીકાંઠા ચામાસાના પૂરમાં તૂટીને નદીમાં પડવા લાગ્યા, ડુંગરી ઉપરની ધારની માટી પશુ ચામાસાનાં પાણીના પ્રવાહેામાં તણાઇને નદીમાં પડતી, અને જમીન ધોવાઈને પણ નદીઓને માટીથી ભરી દેતી, આથી નદીઓનાં તળિયાં ઊ ંચે આવ્યાં; કિનારા તૂટીને નીચા થઈ ગયા; એટલે નદીએ છીછરી થઈ ગઈ. છીછરી નદીઓમાંથી વરસાદનું પાણી ઝપાટામ ધ દરિયામાં વહી જાય અને નદી સુકાઈ જાય. આમ મોટા ભાગનાં તળાવે, નદીઓ, નાળાં, ઝરણાં વગેરે સુકાઈ ગયાં. વાતાવરણની ગરમીને અંકુશમાં રાખનારાં જગલે નાશ પામ્યાં અને વિશાળ જલરાશિએ સુકાઇ ગયા. જ્યારે ડુંગરની ધારાના માટીના ધેાવાણુથી ખુલ્લા પડી ગયેલા કાળમીંઢ પથ્થશ ઉનાળામાં તપી જઇને સૂરજની ગરમીને પાછી વાતાવરણમાં ફેકે છે. તે જ પ્રમાણે વ્રુક્ષા અને ચરિયાણાનુ રક્ષણ ગુમાવીને ખુલ્લી થઈ ગયેલી, અને નીચેના ભાગમાં પાણી ગુમાવી બેઠેલી જમીન પણ તપી જઇને વાતાવરણને ગરમ કરે છે.
એટલે આ બધી બાબતાને જ વિચારવી જોઇએ. જગલે અને ચરિયાણાના પ્રચંડ ફેલાવા સિવાયની અખત્તે રૂપિયાની ચાજના એકાર જશે અને ભારે કરવેરા દ્વારા પ્રજાને પાયમાલ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org