________________
૧૫૩ શકે તેટલી જગા શહેરમાં ન હતી. એટલે લેક ફૂટપાથ ઉપર, ગંદી ચાલીઓમાં, શહેરની ગટરના કિનારા ઉપર જ્યાં જગા મળે ત્યાં આવીને વસવા લાગ્યા. શહેરોમાં મકાન બાંધવા જગાની મુશ્કેલી હતી એટલે જગાના ભાવ વધવા લાગ્યા. જે જમીન ચાર આને વાર રાખવા કઈ તૈયાર ન હતું તે ૪૦૦ રૂપિયે વાર વેચાઈ જવા લાગી. સિમેન્ટનું ‘ઉત્પાદન ૪૧૫ ટકા વધ્યું હતું (ઇન્ડિયા ૧૯૭૪) છતાં મોટા બંધની
ખોટી જનાઓમાં એ સિમેન્ટ વપરાઈ જઈને એને કાળાબજાર વિકસવા લાગ્યા. અનાજ અને તેની કાપણીની મેંઘારતને લીધે મજૂરી મેંદી થઈ. બાંધકામની ચીજોના ભાવ વધ્યા એટલે જૂનાં મકાને રીપેર કરવામાં કોઈને રસ રહ્યો નહિ. જે નવાં વીસમાળી મકાને બંધાયાં તેની કિંમત સાધારણ જનસમાજ ખચી શકે તેમ ન હતું. પણ જેમની પાસે બે નંબરનું નાણું હતું અને વિવિધ રસ્તે એની આવક ચાલુ હતી તેઓ જ આ મકાનમાં પિતાનું નાણું સલામત રીતે રોકી શક્તા. જે લેકે જીવના જોખમે આવા ઊંચાં મકાને બાંધી આપતાં તેમને તે ઉઘાડા આકાશ નીચે ગટરના કિનારા ઉપર જ રહેવાનું મળે છે.
રહેઠાણનતંગીના નિવારણને સરળ ઉપાય તે મકાનની તંગીને પહોંચી વળવાને સહુથી સહેલે, સસ્ત અને ઝડપી ઉપાય એ છે કે ભારતીય અર્થવ્યવસ્થાના માર્ગે જવું. જેથી ગામડાઓના ધંધા પાછા ખીલે, લેકે શહેર તરફથી પાછા પિતપિતાને વતત ગામડાંઓમાં જાય, સંપૂર્ણ ગેરક્ષા, વનરક્ષા અને જલરક્ષા કરીને પશુઓનાં ઘી, દૂધ, છાણ અને પીવાનાં પાણી પુરવઠો વધારે, જેથી ગામડાંઓમાં પ્રાચીન પરંપરાથી જ ગારમાટીનાં મકાને જેમ બંધાતાં તે મુજબ ફરીથી નવા મકાન બાંધવાનું શક્ય બને અને શહેર ઉપરથી જગાનું દબાણ ઓછું થતાં ત્યાં પણ મકાનની કિમત ઘટે.
આજની શહેરોની મકાનની તંગી એ માત્ર મકાનની સાધારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org