________________
૧૩૧
વિશ્વવિગ્રહ વખતે લશ્કર માટે ૪૫ ઇંચના ઘેરાવાની છાતીવાળા લાખે માણસા મળી શકતા, આજે ૩૨ ઈંચની છાતીવાળા શેાધવા જવું પડે. પશુ આ ફેરફાર નવી પેઢી તે જોઈ કે જાણી પણ શકે નહિ.
ઇસુની વીસમી સદીમાં પેાતાને ખેતીપ્રધાન દેશ ગણાવતા ભારતમાં ગાયના દૂધના ઉત્પાદનમાં ૬૦ થી ૯૦ ટકાના ઘટાડા થઈ ગયા; અને તેને ઉદ્યોગપ્રધાન દેશે। પાસેથી દૂધના પાઉડર અને ખટર આઈલ ખરીદવાની દયાજનક સ્થિતિમાં મુકાવું પડ્યું, અને છતાં પ્રજા આ સ્થિતિ ઠંડે કલેજે લાચારીથી જોઇ જ રહી,' એમ જ્યારે ભવિષ્યના ઇતિહાસ લખાશે ત્યારે એ શબ્દ વાંચનારી પ્રજા આશ્ચય ચક્તિ થઈ જશે. પણ આ એક નગ્ન સત્ય છે.
જરા જરામાં બધે ઊહાપાહ; સિવાય, ફાડા પશુઓની કત્લેઆમ
જો ઉદ્યોગમાં બે કે ત્રણ ટકાના ઘટાડો થાય તે ઉદ્યોગપતિઓ, અથશાસ્ત્રીએ જુદા જુદા પક્ષના રાજદ્વારી નેતાના વિષની ચિચિ-યારીઓ પાડે છે. અરે! જે ઉત્પાદન સ્થિર થઈ ગયું હાય તે પણ સરકાર ઉપર છાણાં થાપવાના રાજદ્વારી આગેવાન વચ્ચે હરીફાઈ ચાલે છે. પણ પ્રજાની સહુથી મોટી, સહુથી વધુ કીમતી જરૂરિયાત પશુઓની અને શુદ્ધ ઘી, દૂધના પુરવઠાની થયેલી ઠંડી કતલ સામે કોઈ ઊહાપાદ્ધ થયા નથી, થતા પણ નથી. કોઈ ઉદ્યોગપતિ કે અર્થ શાસ્ત્રીનુ રૂંવાડું ય ફરકતું નથી. કદાચ જો કોઈ એકલદોકલ વ્યક્તિ જરા ઊહારાહ કરે તે તેને પ્રત્યાધાતા, જડસુ અને ધર્મો ધ–કામી માનસવાળા– સ'કુચિત માનસવાળા વગેરે વિશેષણાથી નવાજીને તેને ઉતારી પાડવામાં આવે છે.
દૂધના પુરવઠા ઘટતાં મજૂરો નબળા પડથા.. દૂધના પુરવઠાના આ રાક્ષસી ઘટાડાએ પ્રજાની શક્તિ ભાંગી નાખી છે, પાષણથી થતાં દરદો વધારી મૂકયાં છે, કરોડો બાળકના શારીરિક અને માનસિક વિકાસ રૂંધીને તેમને રાગેના જડબામાં ધકેલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org