________________
૧૭
શુકરાજનો પૂર્વભવ. રાજયમંડળમાં એવું થશે કે, સાચો સ્વામી તો ગયો, આતો બનાવટી છે, માટે મારે હવે થોડો વખત રાહ જોવી જોઈએ.'
આ રીતે મન વાળી સત્ય શુકરાજ પાછો વળ્યો. પરંતુ રાજ્યભ્રષ્ટ થયાનું અને સુનું રાજ્ય મુકી ચાલ્યા આવ્યાના સહસાત્કારનું ખૂબ દુઃખ થયું, આ અવસરમાં તેને પોતાના પિતા શ્રી મૃગધ્વજ કેવલી મળ્યા. તેમને વંદન કરી તેણે પોતાનો વૃત્તાન્ત કહ્યો કેવળી ભગવંત ચંદ્રશેખરની બધી હકીકત જાણતાં હોવા છતાં તે તેને ન કહી અને કહ્યું કે -
જીતારિ રાજાથી આગળના ભવમાં તું શ્રીગ્રામ ગામનો ભદ્રક ઠાકુર હતો. તારે એક ઓરમાન ભાઈ હતો. બન્ને ભાઈઓને તમારા પિતાએ ભાગ વહેંચી આપ્યા હતા. એક વખતે તે ઓરમાન ભાઈ શ્રીગ્રામ આગળથી પસાર થયો ત્યારે તે તેને મશ્કરીમાં રોકી રાખ્યો અને કહ્યું કે “હું મોટો ભાઈ બેઠો છતાં તારે રાજ્યની ચિંતા શા માટે કરવી પડે ?' તે અકળાઈ ગયો અને તેણે માની લીધું કે જરૂર આ મારું રાજ્ય પચાવી પાડશે, હું શું કામ અહિં આવ્યો ? હવે શું કરું? ક્યાં જાઉં? તેમ વિલાપ કરવા લાગ્યો. તે છેવટે બે ઘડી બાદ તેને છોડી મૂક્યો. આ મશ્કરીથી કર્મના ઉદયે તને રાજ્યનો વિરહ થયો છે પણ ધર્મથી અંતરાય તુટે માટે ધર્મ કર.”
કેવલી ભગવંતને પૂછ્યું કે, હું શું ધર્મ કરૂં?” તેમણે કહ્યું કે, “વિમલાચલતીર્થ અહિંથી નજીક છે, ત્યાં જઈ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારપછી છ માસ સુધી તે ગિરિરાજમાં રહી પરમેષ્ઠી મંત્રનો જાપ કર છ માસને અંતે ગુફામાં પ્રકાશ દેખાશે અને શત્રુ ચાલ્યો જશે.' શુકરાજાએ શ્રદ્ધાથી છમાસ સુધી તે પ્રમાણે કર્યું, અંતે પ્રકાશ દેખાયો, આ તરફ દેવીએ ચંદ્રશેખરને કહ્યું કે, “તું અહિથી ચાલ્યો જા હવે તારૂં શુકરાજનું રૂપ ટકશે નહિ', હડધૂત થયેલ ચંદ્રશેખર ચાલી નીકળ્યો અને સાચો શુકરાજ આવી પહોંચ્યો. પ્રજાએ માત્ર એટલું જાણ્યું કે “કોઈક સત્ય શુકરાજની ગેરહાજરીમાં રાજ્યભવનમાં ઘુસી ગયું હતું તે નીકળી ગયું', શુકરાજને રાજ્ય મળ્યા પછી તેની તીર્થ પ્રત્યેની ભક્તિ ખુબ દઢ થઈ, અને તે પોતાના પરિવાર પ્રજાજન અને મિત્રરાજાઓ સહિત સિદ્ધાચલની યાત્રા કરવા નીકળ્યો. પોતાના કુકર્મથી દુઃખી થતો ચંદ્રશેખર પણ યાત્રાએ સાથે નીકળ્યો. તીર્થરાજના દર્શન પૂજન કરી સૌ પાવન થયા અને શુકરાજે “જે પરમપાવન ગિરિરાજના ધ્યાનથી શત્રુ ઉપર જય થયો માટે આનું નામ શત્રુંજય હો' તેમ ઘોષણાપૂર્વક પ્રસિદ્ધ કર્યું. આદીશ્વર ભગવાનના દર્શન અને પૂજન કરવાથી શુદ્ધભાવની વૃદ્ધિ થતાં ચંદ્રશેખરને પોતાના પાપનો અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. તે અવસરે મહોદય નામના મુનિરાજના મુખે અહિં તીવ્ર તપસ્યાથી ગમે તેવાં પાપ નાશ પામે છે.' તે વચન સાંભળી વૈરાગ્યરંગિત થઈ તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી. અંતે તીર્થમાં કરેલ શુદ્ધ તપના પ્રભાવે ભગિની ભોક્તા ચંદ્રશેખર છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પામ્યો.
શુકરાજે વિમલાચલમાં રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય વિગેરે વિવિધ રીતે શાસનની ઉન્નતિ કરવા પૂર્વક તીર્થયાત્રા કરી અને છેવટે પદ્માવતીથી પાકર અને વાયુવેગાથી વાયુસાર પુત્ર થયો. વાયુસારને યુવરાજ પદ આપી બે સ્ત્રીઓ સાથે વૈરાગ્યરંગિત થઈ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાબાદ