________________
પાંચ તત્ત્વો.
તત્ત્વોનો અનુક્રમ
वायोर्वह्नेरपां पृथ्व्या, व्योम्नस्तत्त्वं वहेत् क्रमात् ।
वहन्त्योरुभयोर्नाड्यो-र्ज्ञातव्योऽयं क्रमः सदा ॥ ८ ॥
સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ તત્ત્વો અનુક્રમથી નિરંતર રહે છે.
તત્ત્વોનો કાળ
पृथ्व्याः पलानि पञ्चाशच्चत्वारिंशत्तथाऽम्भसः ।
૨૯
अग्नेस्त्रिंशत्पुनर्वायोविंशतिर्नभसो दश ॥९॥
પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ. એમ તત્ત્વો બદલાયા કરે છે.
તત્ત્વોમાં કરવાનાં કાર્યો
तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः ।
दीप्तास्थिरादिके कृत्ये तेजोवाय्वम्बरैः शुभम् ॥१०॥
પૃથ્વી અને જળતત્ત્વમાં શાંતિકાર્યો કરતાં ફળની પ્રાપ્તિ થાય છે અને અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વમાં તીવ્ર-તેજસ્વી, અસ્થિર આદિ કાર્ય કરવાં સારાં છે.
તત્ત્વોનું ફળ
जीवितव्ये जये लाभे सस्योत्पतौ च वर्षणे । पुत्रार्थे युद्धप्रश्ने च गमनागमने तथा ॥ ११ ॥
पृथ्व्यतत्त्वे शुभे स्यातां वह्निवातौ च नो शुभौ ।
अर्थसिद्धस्थिरोर्व्यां तु शिघ्रमम्मसि निर्दिशेत् ॥१२॥
જીવિતવ્ય, જય, લાભ, વર્ષા, ધાન્યની ઉત્પત્તિ, પુત્ર-પ્રાપ્તિ, યુદ્ધ, ગમન, આગમન વિગેરેના પ્રશ્ન વખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હોય, તો શ્રેયઃકારી અને જો વાયુ, અગ્નિ કે, આકાશતત્ત્વ હોય તો અશુભ સમજવાં અર્થસિદ્ધિ કે, સ્થિર કાર્યમાં પૃથ્વીતત્ત્વ અને શીઘ્ર કાર્યમાં જળતત્ત્વ, શ્રેય:કારી સમજવા.
ચંદ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો
पूजाद्रव्यार्जनद्वाहे दुर्गादिसरिदागमे ।
गमागमे जीविते च गृहे क्षेत्रादिसंग्रहे ॥ १३ ॥