________________
૨૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ પણ ઉંઘવું નહીં અથવા તો પગલાં ચાલવું, આ રીતે ભોજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલો વિધિ નીચે પ્રમાણે છે. સિદ્ધાન્તમાં કહેલ ભોજનવિધિ.
સુશ્રાવકો નિર્વદ્ય, નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માનો નિર્વાહ કરનારા હોય છે. એ આહાર કરતાં સર-સર, ચબ-જબ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતા ખાતા દાણા કે છાંટા ન પડે તેમ મન, વચન અને કાયાની ગુદ્ધિપૂર્વક સાધુની જેમ ઉપયોગપૂર્વક સાદડીના પ્રતર ખોલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ્ર અને ઈંગાલ દોષો ન લાગે તેમ આહાર કરે.
જેમ ગાડી ખેડવાના કામમાં ઉજવાથી લેપ કરાતું હોય છે તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવા માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થોએ પોતાને માટે કરેલું તીખું, કડવું, તૂરૂં, ખાટું, મીઠું, ખારું અથવા જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મોહનો ઉદય, સ્વજનનો ઉપસર્ગ થવા છતાં, જીવદયાનું રક્ષણ કરવા માટે, તપસ્યા માટે તથા આયુષ્યનો અંત આવે શરીરનો ત્યાગ કરવા માટે આહારનો ત્યાગ કરવો.
એ વિધિ સાધુ આશ્રયી કહ્યો. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણવો. બીજે સ્થળે પણ કહ્યું છે કે, ક્યારે ભોજન ન કરવું.
વિવેકી પુરુષે શક્તિ હોય તો દેવ, સાધુ નગરનો સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય-ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગો ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભોજન કરવું નહીં.
કહ્યું છે કે તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલું લાંઘણ કરવું. પણ વાયુથી, થાકથી, ક્રોધથી, શોકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી, ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણ કરવું નહીં. તથા દેવગુરુને વંદનાદિનો યોગ ન હોય, તીર્થને અથવા ગુરુને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચકખાણ લેવા હોય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે મોટા પર્વના દિવસે પણ ભોજન કરવું નહીં. માસખમણ વગેરે તપસ્યાથી આલોકમાં તથા પરલોકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે.
કહ્યું છે કે તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વાસુદેવ, ચક્રવતી વગેરે લોકોનાં તે તે દેવતાને પોતાનો સેવક બનાવવા વગેરે ઈહલોકનાં કાર્યો પણ અટ્ટમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભોજન વિધિ કહ્યો છે.
સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઊઠે અને ચૈત્યવંદન વિધિ વડે દેવને તથા ગુરુનો યોગ હોય તે પ્રમાણે વાંદે. ચાલતી ગાથામાં સુપત્તવાડ઼િ ગુત્તી એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી એ સર્વ વિધિ સૂચવ્યો એમ જાણવું.