________________
૧૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ववहारसुद्धि-देसाइ-विरुद्धच्चाय उचिअचरणेहिं । तो कुणइ अत्थचितं निव्वाहितो नि धम्मं ॥७॥ व्यवहार शुद्धि देशादिविरुद्ध त्याग उचिताचरणः ।
ततः करोति अर्थचिन्तां, निर्वाह्यन् निजं धर्मम् ॥ વ્યવહારશુદ્ધિથી, દેશાદિના વિરુદ્ધનો ત્યાગ કરવાથી, ઉચિત આચારનું આચરણ કરવાથી, પોતાના ધર્મનો નિર્વાહ કરતાં દ્રવ્યોપાર્જનની ચિંતા કરે.
વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મન-વચન-કાયાની નિર્મળતા (સરળતા) છે. તે જ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં. આથી વ્યવહારશુદ્ધિ થાય છે.
દેશાદિ વિરુદ્ધનો ત્યાગ કરીને વ્યાપાર કરતાં જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે, ઉચિત આચારનું સેવન કરવાથી એટલે લેવડ-દેવડમાં જરા માત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પોતાનો ધર્મ બચાવીને એટલે કે, પોતે અંગીકાર કરેલ વ્રત પચ્ચકખાણ અભિગ્રહનો બચાવ કરતા ધન ઉપાર્જન કરવું. પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લોભમાં મુંઝાઈને પોતે લીધેલાં નિયમ વ્રત-પચ્ચકખાણ ભૂલી જઈ ધન કમાવવાની દૃષ્ટિ રાખવી નહીં. કેમકે ઘણા લોકોને પ્રાય વ્યાપાર વખતે એમ જ વિચાર આવી જાય છે કે -
એવું જગતમાં કંઈ નથી કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરુષે ઘણા જ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય જ ઉપાર્જન કરવું.” ધન ઉપાર્જન કરવા કરતાં પણ પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર.
અહીં અર્થ ચિંતા કરવી એમ આગમ કહેતું નથી, કારણ કે માણસ માત્ર અનાદિકાલની પરિગ્રહની સંજ્ઞાથી પોતાની મેળે જ અર્થ-ચિંતા કરે છે. કેવલિ-ભાષિત આગમ તેવા સાવદ્ય વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શા માટે કરાવે ? અનાદિકાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંતા કરવી પડે ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લોકો જેમ સાંસારિક કાર્યોનો આરંભ કરીને અહોરાત્ર ઉદ્યમ કરે છે તેના એક લાખમાં ભાગ જેટલો પણ ઉદ્યમ જો ધર્મમાં કરે તો શું મેળવવાનું બાકી રહે ? આજીવિકાના સાત ઉપાય.
માણસની આજીવિકા ૧ વ્યાપાર, ર વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય-બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા. એ સાત ઉપાયથી થાય છે.
તેમાં વણિક લોકો વ્યાપારથી, વૈદ્ય આદિ લોકો પોતાની વિદ્યાથી, કણબી લોકો ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લોકો ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સેવક લોકો સેવાથી અને ભિખારી લોકો ભિક્ષાથી પોતાની આજીવિકા કરે છે.