________________
૧૯૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ યશશ્રેષ્ઠીની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાતકાળમાં કરીયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠીને લાભ થયો. પણ યશશ્રેષ્ઠીને પસ્તાવો થવાથી સુશ્રાવક થયો અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાર્જીને સુખ પામ્યો.
આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન પેદા કરવા ઉપર બે મિત્રોની કથા કહી.
આ વિષય ઉપર લૌકિકશાસ્ત્રમાં નીચે મુજબ દષ્ટાંત છે. સોમરાજાનું દષ્ટાંત.
ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપવા યોગ્ય સારૂં દ્રવ્ય ક્યું ? અને દાન લેવાને સુપાત્ર કોણ ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું, આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યનો યોગ મળવો સર્વલોકોને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમ કે, જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રનો યોગ મળવો કઠણ છે તેમ શુદ્ધ મનનો દાતા અને યોગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેનો યોગ મળવો પણ દુર્લભ છે.
તે સાંભળી સોમ રાજાએ પર્વ ઉપર પાત્રમાં દાન દેવાના હેતુથી કોઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કરી, તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણોને નિમંત્રણ કરી, સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારું મંત્રીને મોકલ્યો. મંત્રીએ બ્રાહ્મણને બોલાવતાં તે બ્રાહ્મણે કહ્યું કે -
જે બ્રાહ્મણ લોભથી રાજા પાસેથી દાન લે તે તમિસ્ત્રાદિ ઘોર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે ભૂખ્યું રહેવું તે સારું પણ રાજા પાસેથી દાન ન લેવું. દસ કસાઈ સમાન કુંભાર છે. દસ કુંભાર સમાન કલાલ છે, દસ કલાલ સમાન વેશ્યા છે, અને દસ વેશ્યા સમાન રાજા છે એવાં સ્મૃતિ, પુરાણ આદિનાં વચનોથી રાજા પાસેથી દાન લેવામાં દોષ છે માટે હું રાજદાન નહીં લઉં.”
પછી મંત્રીએ કહ્યું, “રાજા પોતાના ભુજાબળથી ન્યાયમાર્ગે મેળવેલું સારું નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનોથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયો. તેથી રાજાએ ઘણા હર્ષથી બ્રાહ્મણને બેસવા સારું આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી અને ન્યાયથી ઉપાર્જેલા આઠ દ્રમ્પ તેને દક્ષિણા તરીકે કોઈ ન જોઈ શકે એવી રીતે તેની મૂઠીમાં આપ્યા.
બીજા બ્રાહ્મણો તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, “રાજાએ કાંઈ સારી વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી, બીજા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તો કોઈનું તેથી થોડી વધુ મુદતમાં વપરાઈ ગયું પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા