________________
પૂજા સમયે વસ્ત્રશુદ્ધિ.
૬૫ કહેલું છે કે, અયોગ્ય ફળ, ફૂલ કે નૈવેદ્ય ભગવાનને ચડાવે તો તે પ્રાયઃ પરલોકમાં નીચ કુળમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે.
તારા પૂર્વભવની જે માતા હતી તેણીએ એક દિવસ સ્ત્રીધર્મ (રજસ્વળા) માં આવેલી છતાં પણ દેવપૂજા કરી; તે કર્મથી મરણ પામ્યા પછી ચંડાળણી થઈ છે.
આવા વચન સાંભળીને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. તેઓએ અપવિત્રતામાં અને જમીન પર પડેલા પુષ્પથી પૂજા કરવાને લીધે નીચગોત્ર બાંધ્યું હતું.
ઉપરના દષ્ટાંતમાં બતાવ્યા મુજબ નીચગોત્ર બંધાય છે, માટે પડી ગયેલા પુષ્પ સુગંધીયુક્ત હોય તો પણ પ્રભુને ચડાવવું નહીં. જરા માત્ર પણ અપવિત્રતા હોય, તો પ્રભુપૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં આવેલી સ્ત્રીએ મોટી આશાતનાઓનો દોષ હોવાથી પૂજા કરવી નહીં. પૂજા સમયે વસ્ત્રશુદ્ધિ.
પૂર્વોક્ત રીતે સ્નાન કર્યા પછી, પવિત્ર, સુકોમળ, સુગંધી, રેશમી કે સુતરાઉ વસ્ત્ર રૂમાલથી અંગતુંહણ કરી, બીજું શુદ્ધ વસ્ત્ર પહેરતાં ભીનું વસ્ત્ર યુક્તિપૂર્વક ઉતારી ભીના પગથી મલિન જમીનને નહીં ફરસતા પવિત્ર સ્થાનકે આવીને ઉત્તર દિશા સામે ઉભા રહીને મનોહર, નવાં, ફાટેલાં નહીં, સાંધેલાં નહીં, તેમજ પહોળાં અને સફેદ બે વસ્ત્ર પહેરવાં. - શાસ્ત્રમાં કહેલું છે કે, યથાયોગ્ય નિર્મળ જળથી શરીરને શુદ્ધ કરીને પછી નિર્મળ ધૂપથી “પેલા અને ધોએલાં બે વસ્ત્ર પહેરે. લૌકિકમાં પણ કહેવું છે કે, હે રાજનું! દેવપૂજાના કાર્યમાં સાંધેલું, બળેલું, ફાટેલું કે પારકું વસ્ત્ર પહેરવું નહીં. એકવાર પણ પહેરેલું, જે પહેરીને વડીનીતિ, લઘુનીતિ કે મૈથુન કીધું હોય તેવું વસ્ત્ર ન પહેરવું. એજ વસ્ત્ર પહેરીને ભોજન કરવું નહીં, તેવા નિર્માલ્ય વસ્ત્રથી દેવની પૂજા પણ કરવી નહીં. સ્ત્રીઓએ પણ કંચુકી (કાંચળી) પહેર્યા વિના પૂજા ન કરવી.
એવી રીતે પુરુષને બે અને સ્ત્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પૂજા કરવી કલ્પ નહીં :
દેવપૂજામાં ધોએલા વસ્ત્ર મુખ્ય વૃત્તિએ અતિવિશિષ્ટ (સારાં) ક્ષીરોદકાદિ જેવાં ધોળાં જ વાપરવાં. ઉદયન રાજાની રાણી પ્રભાવતી આદિનાં સફેદ અને ધોળાં જ વસ્ત્ર નિશીથ આદિમાં કહેલાં છે. “વચ્છનિયંસો ” સફેદ વસ્ત્ર પહેરીને પૂજા કરવી) એમ શ્રાવકદિનકૃત્યમાં પણ કહેલું છે.
ક્ષરોદક વસ્ત્ર પહેરવાની શક્તિ ન હોય તો સુંદર રેશમી ધોતીયાં વાપરવાં.
પૂજાષોડશકમાં પણ “સિતકુમવà” સફેદ શુભ વસ્ત્રો” એમ લખ્યું છે. તેની (પૂજાષોડશકની વૃત્તિમાં કહ્યું છે કે, સિતવસ્ત્ર | ગુમવત્રે ર પિદ સિતારા પટ્ટયમરિપતાવિ પરિઘ સફેદ અને શુભ વસ્ત્રો વાપરવાં, શુભ એટલે સફેદ કરતાં જુદાં પણ પટોળાં વિગેરે કલ્પે રાતાં પીળાં વિગેરે વર્ણવાળાં પણ ગ્રહણ કરાય છે.
સિમિ ઉત્તરસંગ રે એવા આગમના પ્રમાણથી ઉત્તરાયણ અખંડ એકજ કરવું પણ બે ખંડ જોડીને કરેલું ન જોઇએ. રેશમી વસ્ત્ર ભોજનાદિ કરવાં છતાં પણ હંમેશા પવિત્ર જ