________________
૧૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ - તે સમયે વ્યાસનો પુત્ર શુક નામે એક પરિવ્રાજક ત્યાં પોતાના એકહજાર શિષ્ય સહિત હતો. તે ત્રિદંડ, કમંડલું, છત્ર, ત્રિકાઠી, અંકુશ, પવિત્રક અને કેસરી વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેનાં વસ્ત્ર ગેરુથી રંગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારો હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ (પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારનાં શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતો હતો.
તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પોતાનો શૌચમૂળ ધર્મ લેવરાવ્યો હતો. થાવગ્ગાપુત્ર આચાર્યે તેને જ ફરી પ્રતિબોધ કરી વિનયવાળા જિનધર્મ અંગીકાર કરાવ્યો. પછી સુદર્શન શેઠના દેખતાં શુકપરિવ્રાજકને તથા થાવસ્થાપુત્ર આચાર્યને એક બીજાને નીચે લખ્યા પ્રમાણે પ્રશ્નોત્તર થયા :
શુકપરિવ્રાજક :- “હે ભગવન્! સરિસવય ભક્ય છે કે અભક્ષ્ય છે?” થાવગ્ગાપુત્ર:- “હે શુકપરિવ્રાજક ! સરિસવય (મક્ષ્ય છે અને અમઠ્ય પણ છે. તે આ રીતે :- સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉંમરના) અને બીજા ધાન્ય સરિસવય (શર્ષપ, શર્ષવ) મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, ૧. સાથે ઉત્પન્ન થયેલા ૨. સાથે વૃદ્ધિ પામેલા અને ૩. બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે.
ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા, શસ્ત્રથી પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અપ્રાસુક પ્રાસુક સરિસવય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ બે પ્રકારના છે. એક એષણીય અને બીજા અનેષણીય. એષણીય સરિસવય પણ બે પ્રકારના છે. એક લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક, અજાત, અને પણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ “કુલત્ય અને મારું પણ જાણવા. તેમાં એટલો જ વિશેષ કે માસ ત્રણ પ્રકારના છે. એક કાલમાસ (મહિનો), બીજો અર્થ માસ (સોના-રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજો ધાન્યમાષ (અડદ). - એવી રીતે થાવગ્ગાપુત્ર આચાર્યો બોધ કર્યો ત્યારે પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુકપરિવ્રાજકે દીક્ષા લીધી. થાવગ્ગાપુત્ર આચાર્ય પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા, પછી શુક્રાચાર્યે શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને
૧. સરિવિય” આ માગધી શબ્દ છે. “સદાય” અને “સર્ષg” એ બે સંwત શબ્દનું માગધીમાં “રિસંવય” એવું રૂપ થાય છે. સદેશવય એટલે સરખી ઉંમરનો અને સર્ષપ એટલે સરસવ.
૨. “ની’ શબ્દ માગધી છે. “કુલત્થ” (કળથી) અને “કુલસ્થ” એ બે સંસ્કૃત શબ્દોનું “કુલત્થ” એવું માગધીમાં એકજ રૂપ થાય છે. - ૩ માસ (મહીનો), મોષ (અડદ) અને માસ (તોલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “પાસ” એવું એક જ રૂપ થાય છે.