________________
અચિત્ત પાણી અંગે.
૪૯ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થઈ જાય છે અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદનું જળ પડતાં માત્ર મિશ્ર છે, પછી પડતું વર્ષાનું પાણી સચિત્ત બની જાય છે.
ચોખાના ધોવાણમાં આદેશ-ત્રિકને મૂકીને તંદુલાદક જ્યાં સુધી ડહોળું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યારથી અચિત્ત ગણાય છે. | (આદેશ-ત્રિક બતાવે છે) કોઈ આચાર્ય એમ કહે છે કે, ચોખાનું ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતાં જે છાંટા ઊડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાં સુધી ન સુકાયા ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણવું. બીજા કોઈક આચાર્ય એમ કહે છે કે તે ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં પરપોટા વળે છે, તે જ્યાં સુધી ન ફુટી જાય, ત્યાં સુધી મિશ્ર ગણવું. ત્રીજા કોઈ આચાર્ય કહે છે કે, જ્યાં સુધી તે ચોખા ચડે નહીં ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણાય છે.
એ ત્રણે આદેશ પ્રમાણ ગણાય એમ નથી જણાતા કેમ કે કોઈ વાસણ કોરું હોય તો તેને સકાતાં વધારે વાર ન લાગે. તેમજ કોઈક વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલું હોય તો તત્કાળ સુકાઈ જાય અને બીજાં વાસણ પણ તેમ ન હોય તો ઘણીવારે સુકાઈ શકે માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણા ઊંચેથી ધોવણ વાસણમાં નાંખે તો પરપોટા ઘણા થાય, નીચેથી નાંખે તો થોડા વખતમાં ફુટી જાય કે ઘણા વખતે ફુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતો નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હોય તો થોડીવારમાં ચોખા ચડે ને મંદ હોય તો ઘણીવારે ચોખા ચડે તેથી એ હેતુ પણ અસિદ્ધ છે. કેમકે એ ત્રણ હેતુમાં કાળનો નિયમ નથી રહી શકતો માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરો હેતુ તો એ જ છે કે જ્યાં સુધી ચોખાનું ધોવણ અતિ નિર્મળ ન થાય, ત્યાં સુધી મિશ્ર ગણવું ને ત્યારબાદ તેને અચિત્ત ગણવું. ઘણા આચાર્યોનો એ જ મત હોવાથી એ જ વ્યવહારશુદ્ધ છે.
ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણોથી ગરમ થયેલાં નેવાંના સંપર્કથી અચિત્ત થયેલા નેવાંનાં પાણીને ગ્રહણ કરવામાં કંઈ વિરાધના થતી નથી. કેટલાક આચાર્ય એમ કહે છે કે, ઉપર લખેલું પાણી પોતાના પાત્રમાં ગ્રહણ કરવું. આ વિષયમાં ઘણા વિચાર હોવાથી આચાર્ય ઉત્તર આપે છે કે તે પાણીમાં અશુચિપણું છે માટે પોતાના પાત્રમાં લેવાનો નિષેધ છે. એટલા માટે ગૃહસ્થની કુંડી વિગેરે ભાજનમાં લેવું. વળી વરસાદ વરસતો હોય તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહીં પરંતુ વરસાદ રહી ગયા પછી પણ અંતર્મુહૂર્તકાળ વીત્યા પછી ગ્રહણ કરવા યોગ્ય છે. જે પાણી કેવળ પ્રાસુક થયેલું છે, (અચિત્ત થયેલું છે), પણ ચોમાસામાં ત્રણ પ્રહર ઉપરાંત કાળે ફરીને સચિત્ત થઈ જાય છે. એટલા માટે ત્રણ પ્રહરની અંદર તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવાં કે જેથી પાણી પણ નિર્મળ થઈ જાય.
ચોખાનું ધોવાણ પહેલું, બીજ, ત્રીજ, તત્કાળનું હોય તો અચિત્ત થાય છે, પરંતુ ચોથું, પાંચમું વિગરે ધોવણ ઘણા કાળનું હોવા છતાંય સચિત્ત રહે છે. અચિત્તજળનું કાળમાન.
“ત્રણ ઉકાળે ઉકાળેલું પાણી અને પ્રાસુકજળ સાધુજનને કહ્યું છે, પણ ઊષ્ણકાળ ઘણો લૂખો હોવાથી ઉનાળાના દિવસોમાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય
૭.