________________
૩૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ રાત્રિના પાછલા પહોરે બાળ વૃદ્ધ વિગેરે સર્વ લોકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમ મંત્રને સાત-આઠવાર ભણે (ગણે). નવકાર ગણવાની રીત
મનમાં નવકારમંત્રને યાદ કરતો ઊઠીને પલંગ વિગેરેથી નીચે ઉતરી, પવિત્ર ભૂમિ ઉપર ઊભો રહીને કે પદ્માસન વિગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશાએ જિન પ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધ કે કરજાપ આદિથી નવકાર ગણવો. કમળબંધ ગણવાની રીત
આઠ પાંખડીવાળા કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર “નમો અરિહંતાણં” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં” એ પંદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદો (એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ) ચાર કોણ (વિદિશા)માં સ્થાપીને ગણે, એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે.
पदस हवड्संगल
अमोलोएसव्वसाहए। नमो अरिहंताएं नमो प्राय
ક કocs मवाय च सव्वेर्सि ... खेवपावप्पणासपा
પાવUણાસણ
IsUાણ
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું જ વિશેષ કહેલું છે કે -
त्रिशुद्ध्या चिन्तयन्नस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ।