________________
४८ સિત્તેર તીર્થકરો વિચરતા પામીએ, કેવલજ્ઞાની નવકોડ (અને) નવ હજાર ક્રોડ સાધુઓ (હોય એમ સિદ્ધાંતથી) જાણીએ. વર્તમાનમાં (શ્રીસીમંધરસ્વામી પ્રમુખ) વીશ તીર્થકર (અને) પ્રધાન કેવળજ્ઞાન ધરનારા બે ક્રોડ મુનિ (તથા) બે હજાર કોડ સાધુઓ (હોય) તેઓની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ. ૨
જયઉ સામિય જયઉ સામિય, રિસહ સત્તેજિ . ઉર્જિતિ પહુ નેમિનિણ જયઉ વીર સચ્ચઉરીમંડણ || ભરુઅચ્છહિ મુણિસુવ્ય, મુહરિ પાસ દુહદુરિઅખંડણ | અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ | તીઆણાગયસંપઈએ, વંદું જિણ સલૅવિ ૩
અર્થ - જયવંતા વર્તા! શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ જયવંતા વાર્તા ! શ્રી ગિરનારજી ઉપર પ્રભુ નેમિનાથ તીર્થકર (અ) સાચોર (સત્યપુરી) નગરના આભૂષણ રૂપ શ્રી વિરસ્વામી જયવંતા વર્તા! ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી (અને) મુહરી ગામમાં શ્રી પાર્શ્વનાથ (એ પાંચે જિનવરો) દુઃખ અને પાપનો નાશ કરનાર છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે
૧. જઘન્યકાળે વીશ તીર્થકરો હોય, તે દરેક મહાવિદેહની ૮-૯૨૪-૨૫મી વિજયમાં એકેક હોય એટલે જંબૂદ્વીપમાં ચાર, ધાતકીખંડમાં (બે મહાવિદેહ માટે) ૮ અને પુષ્કરવરાદ્ધમાં ૮ મળી ૨૦ હોય. હાલ તે પ્રમાણે છે. વિજયના આંક દરેક વખતે આ પ્રમાણે જ હોય એ નક્કી નથી.
૨. ટીંટોઈનામના ગામમાં મુહરી પાર્શ્વનાથ બીરાજે છે. તે સંભવે છે.