Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 464
________________ ૪૬૧ છે, શિષ્યપણે ગ્રહણ કર્યો છે, જ્ઞાનાદિ, વસ્ત્રાદિ વડે ઉપગ્રહિત કર્યો છે, સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરી છે, પ્રીતિવડે મને વારંવાર પ્રેરણા કરી છે તેથી હું તમારા સન્મુખ ઉઘુક્ત થયો છું, અને તમારી તપ રૂપ તેજલક્ષ્મી વડે હું આ ચારગતિ રૂપ સંસાર અટવી થકી કષાયાદિ સંતરીને વિસ્તાર પામીશસંસારસમુદ્રનો પાર પામીશ ! એ હેતુથી મસ્તકે કરીને અને મને કરીને નમસ્કાર કરું છું. અષ્ટપ્રકારી પૂજાના દુહા જવણ વિલેપન કુસુમની, ધૂપ દીપ મનોહાર; અખંડ અક્ષત નૈવેદ્યની, અષ્ટમી ફળ સુવિચાર. ૧. ભાવ-સ્તવને કારણે; દ્રવ્ય-સ્તવ અધિકાર; કારણથી કારજ સીધે, તેણે ધુર પૂજ ઉદાર. ૨. ઇણી પેરે જલપૂજા કરી, કરીએ અપ્પા શુદ્ધ; માને છીણું જે એહમાં, જાણો તેહ અબુદ્ધ. ૩. હવે કરવા ગુણવાસના, અસંખ્યાત પ્રદેશ; ચંદનની પૂજા કરો, આણી ભાવ વિશેષ. ૪. પૂજા ને પરિણામ દોઉ, કરો ચંદનકી રીત; શીતળતા ને સુગંધતા, જિમ ભાંજે ભવભીત. ૫. હવે ત્રીજી સુમનસ તણી, પૂજા અતિહિ ઉદાર; સુમનસ સુખ જીણથી લહે, તિણે સુમનસ પ્રકાર. ૬. પ્રણિધાને સદ્ગતિ હોએ, પૂજ્ય કિમ નવી હોય; સુમનસ ભાવે દુર્ગતા), પૂજા પંચાશક જોય. ૭. ૧. એકાગ્રભાવે. ૨. ચોકખાભાવે. ૩. દુર્ગતા (ગરીબ) નારી, ભગવાન્ મહાવીર દેવને વંદન-પૂજન કરવા જતાં માર્ગમાં જ આયુષ્ય ક્ષયે વી ચોકખા ભાવથી સદ્ગતી પામી.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466