________________
૪૬૦ દિન્નમએ અવિણએણે પડિચ્છિઅં; તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૩.
અર્થ - હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું , ઉપસ્થિત થયો છું, તમારા સંબંધી યથાકધ્ય એવું વસ્ત્ર, પાત્ર, કાંબળ, રજોહરણ અને અક્ષર, પદ, ગાથા, શ્લોક, અર્થ, હેતુ, પ્રશ્ન અથવા વ્યાકરણ (ઉત્તર) એ સર્વ તમોએ તો મને પ્રીતિપૂર્વક આપ્યું છતાં મેં અહંકારાદિવડે અવિનયથી ગ્રહણ કર્યું હોય તેનો મિચ્છા મિ દુક્કડ દઉં છું. ૩.
ઈચ્છામિ ખમાસમણો ! અહમપુથ્વાઈ ક્યાઈ ચા મેકિઈકમ્માઈ, આયારમંતરે, વિણયમંતરે, સેહિઓ, સેહાવિયો, સંગઠિઓ, ઉવગતિઓ, સારિઓવારિઓ, ચોઈપડિચોઈઓ, ચિઅત્તા મેપડિચોયણા, અભુઠ્ઠિઓહ, તુલ્મહે તવતેઅસિરીએ ઈમાઓ ચાઉરંતસંસારકંતારાઓ સાહઠ નિWરિસ્સામિ તિકઠું સિરસા મણસા મથએણે વંદામિ. ૪.
અર્થ - હે ક્ષમાશ્રમણ ! આચાર સંબંધી દોષવાળા, વિનય સંબંધી દોષવાળા, પૂર્વે મેં કરેલ એવા અપૂર્વ કૃતિકર્મો (શુદ્ધ) કરવાને હું ઇચ્છું છું. આપે મને શિક્ષા આપી છે, શિક્ષા અપાવી
૧. અહીં ગુરૂ આયરિયસતિયું એટલે એ સઘળું આચાર્યજી મહારાજને આધીન છે; એમ કહે છે. આ વચનથી ગુરૂ મહારાજ પોતાનું નિરાલંકારપણું સૂચવે છે અને તેથી પોતાના ગુરૂ ઉપર ભક્તિભાવ પ્રગટ થાય છે. આ ત્રીજા ખામણાથી શિખે કરેલા અવિનયાદિ અપરાધનો મિથ્યા-દુષ્કૃત દેવાય છે. - ૨. અહીં ગુરૂ-નિત્થારગ પારગા હોહ-હે શિષ્ય ! તું સંસારથી પાર પામનારો થા. એમ કહે છે. આ ગુરૂનું આશીર્વચન જાણવું આ ચોથા ખામણાથી ગુરૂના ઉપકારને યાદ કરી ગુરૂનું બહુમાન થાય છે.